આજકાલના સમયમાં લોકો સાથે આકસ્મિક ઘટનાઓ બનતા લોકો પોતાના જીવન ગુમાવી રહ્યા છે. આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. જેમાં પરિવારમાં રહેતા લોકોના એકસાથે મૃત્યુ થઈ રહ્યા છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બુંદી જિલ્લાના આમલી ગામમાં બની હતી..
આમલી ગામમાં એક પરિવારની માતા-પુત્ર સાથે આ ઘટના બની હતી. માતા અને તેમનો દીકરો ઊંઘમાં હતા. તે સમયે તેની સાથે જીવલેણ ઘટના બની ગઈ હતી. આમલી ગામમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહેતા હતા. પતિનું નામ ધર્મરાજ મીણા હતું. તેમની પત્નીનું નામ મમતાબાઇ મીણા હતું. તે બંનેને 3 સંતાનો હતા.
મમતાની ઉંમર 28 વર્ષની હતી અને તેમના દીકરો ક્રિષ્નાની ઉંમર 4 વર્ષની હતી. તેને 2 દીકરી હતી. ધર્મરાજ તેમના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. તે પોતાની પત્ની અને તેમના દીકરાને ખૂબ જ સારી રીતે સાચવતા હતા. ધર્મરાજ અને તેમની પત્ની મમતાબાઈ પરિવાર સાથે ખેતરમાં ટોપલી બનાવવાનું કામ કરતા હતા.
એક દિવસ ધર્મરાજને તેમના કામ ધંધે નાઈટ ડ્યુટીમાં જવાનું હતું. જેને કારણે તેઓને ડ્યુટીમાં ગુડ્ડા નાથાવત પાસેના કારખાનામાં ગયા હતા. તે સમયે તેમની પત્ની અને તેમનો દીકરો, દીકરીઓ ઘરે એકલા હતા. માતા દીકરો એક ખાટલા ઉપર સૂઈ રહ્યા હતા અને બીજી બે દીકરીઓ બીજા ખાટલા પર સુઈ રહી હતી.
તે સમયે દરવાજો ખુલ્લો રહી જતા એક સાપ રૂમમાં ઘૂસ્યો હતો અને તે ખાટલા ઉપર સૂઈ રહેલા માતા દીકરાને ડંખ માર્યા હતા. બંને માતા દીકરાને પગના ભાગ પર ડંખ મારીને સાપ નીચે ઉતરી ગયો હતો. માતાને દર્દ થતાં તે જાગી ગઈ હતી. તેણે જોયું તો સાપ ડંખ મારી ગયો હતો. જેના કારણે માતાએ બૂમો પાડવાનું ચાલુ કરી દીધું હતું.
જેને કારણે દીકરો જાગીને રડવા લાગ્યો હતો. મમતાબેન બુમો પાડી રહ્યા હતા. જેને કારણે આસપાસના લોકો અને પરિવારના લોકો ભેગા થઈ ગયા હતા. બંનેને સાથે ડંખ મારવાની જાણ થતા તેને તેજાજીના સ્થાને પહોંચાડી દેવામાં આવ્યા હતા અને તેના પતિને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પતિ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગરીબ પરિવાર સાથે આવી જીવલેણ ઘટના બની ગઈ હતી. ત્યારબાદ એક કલાક જોતા બંને માતા દીકરાની તબિયત બગડવા લાગી હતી. જેને કારણે પરિવાર તેને કોટાની MBS હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ ત્યાં લઈ જતા માતા દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. ધર્મરાજાને બે છોકરીઓ હતી. જે બંને છોકરીઓ અને ધર્મરાજા નિરાધાર થઈ ગયા હતા.
માતા દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત આવી ગયો હતો. ગરીબ પરિવાર સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. તેજાજીને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે એક કલાક સુધી ઝેર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ માતા દીકરા પર કોઈ ફરક પડી રહ્યો ન હતો. જેને કારણે સારવારમાં મોડું થઈ જતા માતા દીકરાએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજકાલ લોકો અંધશ્રદ્ધામાં માનીને પોતાના પરિવારના લોકોને જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]