આજકાલ છેતરપિંડી ની ઘટનામાં રોજબરોજ વધારો થતો હોવાને કારણે કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. છેતરપિંડીની હજુ એક ઘટના ગુજરાત રાજ્યના ધાનેરા માં જોવા મળી છે. ધાનેરાની અંબિકા નગર સોસાયટીમાં રહેતા શિવરાજભાઈ ચુનીલાલ ત્રિવેદીના એક દીકરા રાજેશ ના લગ્ન થોડા સમય પહેલા થયા હતા….
પરંતુ રાજેશ ની પત્ની રાજેશ ના માતા પિતા સાથે રહેવા માટે તૈયાર ન હતી. જેથી રાજેશએ તેને છૂટાછેડા આપી દીધા હતા. હવે રાજેશ અને તેનો પરિવાર તેના માટે બીજી સંસ્કારી પત્ની શોધી રહ્યા હતા. તે દરમિયાન તેમના નજીકના સંબંધથી હસમુખભાઈ તારાચંદભાઈ ત્રિવેદી કે જે રામસણ ગામના વતની છે, તેમને આ બાબતની જાણ થઈ કે રાજેશના પરિવારજનો તેમને તેની માટે સંસ્કારી પત્ની શોધી રહ્યા છે…
હસમુખભાઈ ના ધ્યાનમાં એક છોકરી હતી કે જે લગ્ન માટે કોઈ યુવક શોધી રહી હતી. હસમુખભાઈએ રાજેશ અને તેના પરિવારજનોને પોતાના મોબાઈલમાં તે છોકરી ના ફોટા બતાવ્યા રાજેશને તે છોકરી પસંદ આવતા તેણે તેને પરણવાનું નક્કી કર્યું હતું. રાજેશના પરિવારજનોએ આ સંબંધ કરાવવા બદલ હસમુખભાઈ ને હાથ ખર્ચ માટે ૧૦ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા.
હસમુખભાઈ તેમની સાથે નડિયાદ થી સરોજબેન બાબુભાઈ મોચી તથા કવિતા પ્રકાશભાઈ કોનગારી સાથે પધાર્યા હતા. રાજેશના લગ્ન ધાનેરા તાલુકાના ચારડા ગામમાં આવેલા એક મંદિરમાં પૂજારીની સમક્ષ કવિતા પ્રકાશભાઈ કોનગારી નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્ન બદલ રાજેશએ હસમુખભાઈ ને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.
લગ્નના થોડા દિવસો બાદ કવિતાએ પોતાની માતા બીમારી છે અને તેના ઓપરેશન માટે પાંચ લાખ રૂપિયાની જરૂર છે. તેવું કહીને રાજેશ પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને પોતાના પિયર પરત ફરી હતી. પરંતુ ઘણા દિવસો બાદ પણ કવિતા પાછી ન ફરતા રાજેશ અને તેમના પરિવારને કવિતાને હસમુખભાઈ પર શંકા ગઈ હતી.
તેઓ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવે તે પહેલા કવિતાએ પાલનપુર મહિલા પોલીસ મથકે રાજેશ તેમજ તેના બંને ભાઈઓ અને તેની માતા વિરુદ્ધ અરજી નોંધાવી હતી. આ બાબતની જાણ થતાની સાથે જ રાજેશની માતાએ કવિતા અને હસમુખભાઈ વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં 8 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસે કવિતા અને હસમુખભાઈ ને પકડવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]