Breaking News

લગ્નના 7 વર્ષ બાદ બંને બાળકોને રખડતા મૂકીને પત્ની તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી, રંગે હાથે દ્રશ્ય જોતા જ પતિનું લોહી ઉકળી ગયું અને પછી તો…

હાલમાં આત્માહત્યાના બનાવોમાં રોજબરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. બિહાર રાજ્યના નાલંદા જિલ્લામાં આત્મહત્યાનો આ બનાવ સામે આવ્યો છે. નાલંદામાં આવેલી ટીચર્સ કોલોનીમાં ચંદ્રદેવકુમાર નામનો યુવક રહે છે. તેણે 7 વર્ષ પહેલા નાલંદા જિલ્લાના જ પડધરી ગામની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક 6 વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર પણ છે.

પરંતુ થોડા દિવસો પહેલા તેમના પરિવારમાં એવું તો શું બન્યું કે જેથી ચંદ્રકુમારએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ચંદ્રદેવકુમાર જ્યારે પોતાની પત્નીને તેના ઘરેથી પરત લાવવા ગયો હતો. ત્યારે ચંદ્રદેવએ તેની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ હતી. ચંદ્રદેવે તેની પત્નીની પૂછપરછ કરતા તેની પત્નીએ પણ સ્વીકાર્યું કે તેઓ ઘણા સમયથી આ પ્રેમ સંબંધમાં જોડાયેલા છે.

આ જાણીને ચંદ્રદેવ કુમારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. આ તમામ ઘટના બાદ તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના ઘરે જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે ચંદ્રદેવની આત્મહત્યાની જાણ તેના માતા-પિતાને થઈ ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઘરની તપાસ શરૂ કરતા તેમને એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ચંદ્રદેવે પોતાની પત્નીના પ્રેમ સંબંધ વિશે લખ્યું હતું. ચંદ્રદેવએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેની પત્નીનો ઘણા લાંબા સમયથી અન્ય યુવક સાથે સંબંધ ચાલતો હતો. તેણે તેની પત્નીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો…

પરંતુ તે પોતાના પ્રેમી સાથે રહેવા માંગતી હોવાને કારણે ચંદ્રદેવે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો હતો. ચંદ્રદેવ ના ભાઈ એ પોલીસને જણાવ્યું કે અગાઉ પણ આ બાબતને લઈને ચંદ્રદેવ અને તેની પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડો થતો હતો. જેને કારણે ચંદ્રદેવ હંમેશા મૂંઝવણમાં રહેતો હતો જેથી તેણે આ ગંભીર પગલું ઉઠાવ્યું હસે.

ચંદ્રદેવના માતા પિતા અને તેના ભાઈએ તેની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ આ તમામ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોતાના દીકરાના મોત પર તેના માતા-પિતા ખૂબ જ આંસુ વસાવી રહ્યા છે. ચંદ્રદેવના બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ પરિવારમાંથી એક યુવાન વ્યક્તિનું મૃત્યુ થવાને કારણે આખો પરિવાર શોક મગ્ન બન્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *