આજકાલ લોકો પોતાના ફાયદા માટે બીજા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. નાની મોટી વાતમાં ફસાવીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે અને બીજા લોકોની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવા કિસ્સાઓ બનતા આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના ખણડારના રાવરા ધણી અનંતપુરા ગામમાં બની હતી. ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારનો દીકરો જન્મથી જ અંધ હતો. પરંતુ તે પોતાના માતા-પિતા સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો અને માતા પિતા પણ દીકરાને ખૂબ જ સારી રીતે સાચવીને મોટો કર્યો હતો. દીકરાનું નામ જુગરાજ બૈરવા હતું.
અને તેના પિતાનું નામ બંસીલાલ બેરવા હતું. દીકરો મોટો થતા તેને લગ્ન કરવાની ખૂબ જ ઈચ્છા હતી. તે લગ્ન કરવા માગતો હોવાને કારણે તેમના આસપાસ રહેતા પાડોશીના લોકો અને સગા સંબંધીઓને તે અવારનવાર લગ્નની વાતો કરતો અને જુગરાજની પાડોશમાં બીજો એક પરિવાર રહેતું હતું. આ પરિવારના યુવકનું નામ રઘુવીર હતું.
તે લગ્ન કરાવતા દલાલને જાણતા હતા. જેને કારણે રઘુવીરે જુગરાજના લગ્નની વાત દલાલને કરી હતી. આ દલાલનું નામ ચેતરામ હતું. તેઓ વચ્ચે રહીને લોકોના લગ્ન કરાવતા હતા. જેને કારણે પાડોશમાં રહેતા રઘુવીર ભાઈએ જુગરાજના લગ્નની વાત કરી હતી. તે સમયે ચેતરામે પોતાની પાસે એક દીકરી ઓળખમાં હોવાનું કહ્યું હતું.
દીકરીનું નામ કોમલ હતું. કોમલના લગ્ન જુગરાજ બેરવા સાથે કરાવવાનું નક્કી કર્યું હતું. બંને પરિવારજનોને સહમતિથી જુગરાજ બેરવાના લગ્ન નક્કી કર્યા હતા પરંતુ વચ્ચેથી આ ચેતરામ અને કોમલના પરિવારજનોને ₹2,00,000 ની રકમ જુગરાજના પરિવારના લોકોને ચૂકવવાની હતી. બે લાખ રૂપિયાની બોલી કરીને લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.
સવાઈ માધવપુર કોર્ટમાં દરેક પ્રથાથી લગ્ન કર્યા હતા. જુગરાજ અંધ હોવાને કારણે તે પોતાની પત્નીને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. લગ્ન કર્યા પછી ₹500 ના સ્ટેમ્પ પેપરમાં દરેક કરાર કરીને વચેટીયાઓ અને કન્યા પક્ષને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. કોમલ જુગરાજની પત્ની બનીને અનંતપુરા આવી ગઈ હતી.
ત્યારબાદ જુગરાજના પિતા અને તેમના સંબંધિત લોકો ખૂબ જુગરાજના લગ્ન થઈ ગયાને કારણે ખૂબ જ ખુશ હતા. કોમલ તેમ જુગરાજ અને તેમના પરિવારના લોકો સાથે ખૂબ જ રાજી ખુશીથી રહી હતી. ઘરમાં પણ ખૂબ જ સારો એવો ખુશીનો માહોલ હતો. એક દિવસ કોમલ જુગરાજની પત્ની બનીને ખૂબ જ સારું એવું વર્તન કર્યું હતું.
પરંતુ બીજા દિવસે યુગરાજ ના ફોનમાંથી અજાણ્યા યુવકોને ફોન કરીને તેમણે બોલાવ્યા હતા અને આ યુવકો આવીને કોમલ ને લઈ ગયા હતા તો તેઓ કાર લઈને આવ્યા હતા અને કોમલને કારમાં બેસી જવાનું કહ્યું હતું. આ બંને યુવકો લગ્ન સમયે પણ કોમલની સાથે આવ્યા હતા. જેના કારણે જુગરાજના પરિવારને સાથે છેતરપિંડી કરીને કોમલ ભાગી ગઈ હતી.
પરિવારના સભ્યોએ વચેટીયાને કોમલના જતા રહેવાની વાત જણાવી હતી. ત્યારે વજેટીયા એ પણ હાથ ઊંચા કરી દીધા હતા અને પરિવાર સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડીને કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવી છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]