લોકો સાથે કોઈને કોઈ વાત લઈને લોકો પોતાની જિંદગીથી કંટાળી રહ્યા હોય છે. આજની યુવાન પેઢી સાથે બનતી ઘટનાઓ જોવા મળી રહી છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજકાલ પોતાની જિંદગીથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અવારનવાર વિદ્યાર્થી સાથે આવી ઘટનાઓ બનતા તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ પોતાની ભણવાની ઉંમરમાં આવી ઘટનાઓ કરી રહ્યા છે. તેઓ નાની નાની વાતમાં કંટાળીને પોતાના માતા-પિતાને તેની મુશ્કેલી જણાવ્યા વગર આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે. લોકો સારું એવું ભણતર મેળવીને ભવિષ્ય બનાવવાને બદલે નાની વાતમાં કંટાળી રહ્યા છે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના એક પરિવારના દીકરા સાથે બની હતી. આ ઘટના છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ભિલાઈ નગરમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં રહેતા દીકરાએ ગંભીર ઘટના કરી નાખી હતી. તે ભિલાઈ નગરમાં લક્ષ્મી ગ્રીન સિટી ફેઝ-2નો રહેવાસી હતો. પરિવારમાં રહેતા દીકરાનું નામ વેદાંશુ ઠાકોર હતું. તેની ઉંમર 17 વર્ષની હતી. તે ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો હતો.
તે પોતાની માતા અને બહેન સાથે ઘરે રહેતો હતો. તેના પિતા બાલોદમાં કામ કરવા માટે જતા હતા જેને કારણે તેઓ અપડાઉન કરતા હતા. એક દિવસ દીકરો કંટાળી ગયો હતો. તે પોતાના અભ્યાસને લઈને ખૂબ જ કંટાળ્યો હતો. જેના કારણે તેણે પોતાની એક નોટબુકના પાના પર ઘણું બધું લખ્યું હતું. દીકરો શાળાએ અભ્યાસ માટે જતો હતો.
તે પોતાના બીજા મિત્ર કરતાં ભણવામાં નબળો હતો. તેને અંગ્રેજીના અમુક શબ્દો સમજમાં આવતા ન હતા અને તે આ શબ્દો બોલી પણ શકતો ન હતો. તે ધોરણ 12માં ગણિતના વિષયમાં સારો હોશિયાર હતો પરંતુ બીજા વિષયમાં નબળો હતો. જેના કારણે તેને ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા હતા. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા ક્લાસના શિક્ષક તેને વાઇસ પ્રિન્સિપાલ પાસે લઈ જતા હતા.
જ્યાં વિદ્યાર્થીને ઠપકો મળતો હતો અને તે ચૂપ થઈ જતો હતો. તે પોતાના ભણતરથી કંટાળી ગયો હતો. જેના કારણે તેને પોતાના માતા પિતાને જણાવ્યા વગર એક દિવસ નોટમાં પેલા પાના પર સુસાઇડ નોટ લખી નાખી હતી અને તેને લખ્યું હતું કે, ‘મને અંદર એક જીવ ખાઈ રહ્યો છે આ જીવ ભૂત હોય તેવું લાગી રહ્યું છે, લોકોને લાગે છે કે હું મારી સાથે જ વાત કરું છું,..
પરંતુ હું ભગવાનમાં માનતો નથી, જેના કારણે હું ભણી શકતો નથી, બીજા પેજ પર લખ્યું હતું કે, મને ખબર નથી કે હું શા માટે લખી રહ્યો છું પરંતુ શાળા અને અભ્યાસ મને પસંદ નથી, જીવનમાં શીખવાની બીજી પણ અન્ય રીતો છે, મને અંગ્રેજી શબ્દ આવડતા નથી અને તે હું બોલી શકતો નથી. મારે તેના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, હું હજુ પણ મહેનત કરી રહ્યો છું…
આવનારુ વર્ષ મારા માટે સારું નથી.. ત્રીજા પાનામાં તેણે લખ્યું હતું કે, હું કોઈ પ્રભાવશાળી કે અસાધારણ નથી, પણ હું મારી લાગણી વ્યક્ત કરી શકતો નથી, મને ખબર નથી કે હું આ કેમ લખી રહ્યો લખી રહ્યો છું.’ આટલું લખીને તેને લખ્યું હતું કે, ‘હું માસ ડબલ કરી શકતો નથી અને મારે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવી રહ્યા છે જેને કારણે હું થાકી ગયો છું, બસ હવે મારે સુવું છે’..
આટલું લખીને તેણે સોસાયટી નોટને પૂર્ણવિરામ આપી દીધું હતું. ત્યારબાદ માતા પિતા ઘરે ન રહેતા હતા તે એક દિવસ પોતાના ઘરની છત પર ગયો હતો અને ત્યાંથી કૂદી પડ્યો હતો. સોસાયટીના લોકોને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સોસાયટીના લોકો ભેગા થતા મોટે-મોટા ટોળા જોવા મળી રહ્યા હતા.
વિદ્યાર્થીએ પાંચમા માળની ઇમારતની છત પરથી કુદીને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ પરિવારજનો આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પરિવાર ઘરે આવ્યો હતો અને તેને જોયું તો પોતાના દીકરાએ જીવ ગુમાવી દીધો હતો. આ જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા, ત્યારબાદ નેવાઈ પોલીસ સ્ટેશનમાં દીકરાના પિતાએ આ ઘટનાની જાણ કરી હતી.
જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ તપાસ હાથ ધરી હતી તપાસ કરતા મળી આવી હતી. આ વાંચીને જ પરિવાર આઘાતમાં આવી ગયું હતું. એટલા નાના દીકરાએ નાની ઉંમરમાં આવું પગલું ભરી લીધું હતું અને તેના શબ્દો વાંચીને પણ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જેના કારણે પરિવાર આ આઘાત સહન કરી શક્યા ન હતો. એકના એક દીકરાનું મૃત્યુ થઈ જતા તેની માતા અને બહેન ઢળી પડ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]