હાલના સમયમાં લોકો એકબીજા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. છેતરપિંડીના નામે લાખો રૂપિયા બીજા પાસેથી પડાવી રહ્યા છે. બીજા લોકોને પોતાની જાળમાં ફસાવીને અનેક લાલચો આપીને તેમના રોકડ દાગીના લૂંટી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની હતી.
સુરત શહેરમાં આવેલા અમરોલી વિસ્તારમાં એક મહિલાને છેતરવામાં આવી હતી. મહિલા સાથે મોટી છેતરપિંડી કરી હતી. અમરોલીમાં સોસાયટીમાં કિન્નરનો સ્વાંગ ધરીને બે યુવકો આવ્યા હતા. અવારનવાર આ યુવકો કિન્નરનો પહેરવેશ ધારણ કરીને પૈસા લેવાના બહાને સોસાયટીઓમાં ફરતા હતા. એક દિવસ અમરોલીના સાયણ રોડ પર ગયા હતા.
સાયણ રોડ પર આવેલા સાંઈ રો હાઉસમાં કિન્નરનો સ્વાંગ ધરીને બે યુવકો પૈસા લેવા માટે પહોંચ્યા હતા. આ રો હાઉસમાં એક પરિવાર રહેતું હતું. પરિવારના યુવકનું નામ અશ્વિનભાઈ શેલીયા હતું. તેઓ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમની પત્નીનું નામ ભાવનાબેન હતું.
એક દિવસ અશ્વિનભાઈ હીરાના કારખાને જવા માટે સવારના સમયે નીકળ્યા હતા. તેમની પત્ની ભાવનાબહેન ઘરે હતા. તે સમયે બે કિન્નરો બનીને યુવકો તેમના ઘરે આવ્યા હતા. તેને કારણે ભાવનાબેનએ પાડોશી પાસેથી લાવીને આ કિન્નરોને 100 રૂપિયાનું દાન આપ્યું હતું. કિન્નરોએ ભાવના બહેનને એકલા જોઈને લાલચમાં લેવાનું પ્લાન કર્યો હતો.
ભાવના બહેનને કહ્યું હતું કે, ‘તારા મનમાં ધારેલા બે કામો થશે, તેના માટે અમારે એક વિધિ કરવી પડશે, આ વિધિ માટે તારા 5 સોનાના દાગીના લઈ આવો, અને અમે ચાર રસ્તાએ જઈને આ વિધિ કરી આપશો’ આવી વાતો કરીને ભાવના બહેનને વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ ભાવના બહેને બંને કિન્નરો બનીને આવેલા યુવકોને 5 સોનાના દાગીના લઈ આપ્યા હતા.
આ 5 સોનાના દાગીનાની કિંમત 96,750 હતી. દાગીના લઈને કિન્નરો વિધિ કરવાના બહાને સોસાયટીની બહાર નીકળ્યા હતા. તેમણે કહ્યું હતું કે બહાર રહેલા ચાર રસ્તા પર જઈને અમે વિધિ કરી આપશુ. અડધો કલાકમાં પરત આપી જશું. ત્યારબાદ ભાવના બહેનને ત્રણ કલાક થઈ ગયા હોવા છતાં સોનાના દાગીનાઓ પરત આપવા માટે આવ્યા ન હતા.
તેને કારણે ભાવના બેને બંને યુવકોની શોધવા માટે તપાસ ચાલુ કરી હતી પરંતુ મળ્યા ન હતા. ત્યારબાદ બહેને પોતાના પતિને આ ઘટનાની જાણ કરી હતી. પતિએ અમરોલીના પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે સોસાયટીમાં મુકેલા સીસીટીવી કેમેરાના આધારે કિન્નરો જે રીક્ષામાં આવ્યા હતા. તેમના નંબર લઈને રીક્ષા ચાલકને પૂછપરછ કરી હતી. પૂજપરછ કરાવતા દરમિયાન રીક્ષા ચાલકે જણાવ્યું હતું.
કે સ્ટેશન પાસે આવેલી હોટલમાં આ બંને કિન્નરનો સ્વાંગ લઈને રોકાયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને કિન્નરનો સ્વાંગ ધરીને રોકાયેલા યુવકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંને યુવકો રાજકોટના તારઘડી વિસ્તારના હતા. તેમાંથી એકનું નામ બાબુભાઈ પરમાર હતું. બીજાનું નામ મહેશનાથ પરમાર હતું.
બાબુભાઈ પરમારની ઉંમર 42 વર્ષની હતી. મહેશનાથ પરમારની ઉંમર 39 વર્ષની હતી. ત્યારબાદ પોલીસે બંને યુવકો પાસેથી રોકડ અને દાગીનાઓ જપ્ત કરી લીધા હતા. અને બંને યુવકોની પૂછપરછ ચાલી રહી હતી. આજકાલ આવા વિધિના બહાને લોકો પાસેથી રોકડ અને દાગીનાઓ લૂંટી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]