આજના સમયમાં રોજ રોજ ખુબજ ચોંકાવનારા બનાવો સામે આવે છે. જેમાં વધુ એક ચોંકાવનારો બનાવ બિકાનેરના મહાજન ગામમાંથી સામે આવ્યો છે. મહાજન ગામમાંથી ખૂબ મોટી કેનાલ પસાર થઈ રહી છે. આ ગામમાં રહેતા એક ખેડૂત રોજની જેમ બપોરનું ભાથું લઈને સવારે પોતાનું ગાડું લઈ ખેતરે જવા નીકળી પડે છે.
તેમના ખેતરે જવાના રસ્તામાં એક કેનાલ આવે છે. તેઓ આ કેનાલને પાર કરીને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ દુર્ગંધ આવી તેમજ કેનાલની અંદર કંઈક વિચિત્ર કોથળા જેવી વસ્તુ કરતી હોય તેવું લાગ્યું હતું. આ જોતાની સાથે જ ખેડૂતને કંઈક ઉંધી શંકા ગઈ અને તાત્કાલિક તે પોતાનું ગાડું થોભાવી આ કેનાલમાં ઉતરીને આ કોથળાની અંદર જોવાની કોશિશ કરી હતી..
તેઓએ કોથળાનું મોઢું ખોલ્યું કે દુર્ગંધ એટલી બધી વધી ગઈ હતી કે જેની ન પૂછો વાત અને અંદરનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેવો કશું બોલ્યા વગર ત્યાંથી ચૂપચાપ ફરી પાછા ખેતરે જવાને બદલે પોતાના ગામમાં ચાલ્યા ગયા હતા. અને ત્યાં ગામના અગ્રણીઓ અને સરપંચ સહિતના લોકોને પણ આ ઘટનાની જાણ કરી હતી કે ગામની સીમમાંથી પસાર થતી કેનાલની અંદર એક કોથળો મળી આવ્યો છે..
જેની અંદર એક યુવકની લાશ છે. જોત જોતામાં આ સમાચાર સમગ્ર ગામમાં તેમજ આસપાસના ગામોમાં પણ વાયુવેગે પ્રસરી ગયા હતા. સૌ કોઈ લોકો આ કેનાલ પાસે જોવા માટે ઉમટી પડ્યા હતા. તેમજ ગામના લોકોમાં પણ ભારે સન્નાટો છવાઈ ગયો હતો. અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે આ લાશ કયા વ્યક્તિની હશે..?
તેમજ આ વ્યક્તિને કોણે મારી નાખ્યો હશે. આ બાબતને લઈને તેઓએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે તપાસ ચલાવતા જણાવ્યું કે, હનુમાનગઢના રાવત સર તાલુકાના મનસુરી ગામની અંદર આમિર નામનો એક વ્યક્તિ રહે છે. તેના લગ્ન સુલતાના નામની એક યુવતી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સુલતાના અમીરને ખૂબ જ નફરત કરવા લાગી હતી..
કારણ કે સુલતાના સમીર નામના એક યુવક સાથે પ્રેમ કરી બેઠી હતી. સુલતાના થોડા દિવસ પહેલા પોતાના પિયરમાં આવી હતી. પિયરમાં આવ્યા બાદ તેણે સમીર સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી. અને સમીરને જણાવ્યું કે, જો આપણે બંનેને એક થવું હશે. તો મારા પતિને રસ્તા પરથી હટાવો પડશે. એટલે સુલતાનાના ઇશારે સમીરે આમિરને કેનાલની અંદર ધક્કો દઈ દીધો હતો..
જ્યારે આમિરનો જીવ ચાલ્યો ગયો ત્યાર બાદ તેને કોથળામાં પૂરીને કેનાલમાં વહેતો કરી દીધો હતો. પરંતુ મહાજન ગામમાં રહેતા જે ખેડૂતે કેનાલની અંદર આ લાશ જોઈ હતી. જેની જાણે સમગ્ર ગામના લોકોને તેમજ સ્થાનિક પોલીસને પણ થતા તમામ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક સુલતાના નામની આ યુવતીની ધરપકડ કરી લીધી..
તેમજ તેના પ્રેમી સમીરને પણ પકડી પાડ્યો હતો. આ બંનેની કડક પૂછતાછ કરતા વધુ માહિતી સામે આવી હતી. જે જાણીને સૌ કોઈ લોકોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. સુલતાના અને સમીર બંનેએ દારૂ લાવ્યા હતા. અને ત્યારબાદ તેઓએ આમિરને આ દારૂ પીવડાવી દીધો હતો.
અને ત્યારબાદ ઇન્દિરા ગાંધી નહેર ની અંદર ધક્કો મારી દીધો હતો જૂતામાં જ આમિર તડપડીયા મારીને મરી ગયો હતો. હકીકતમાં સુલતાન એ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પતિને રસ્તા પરથી સાફ કરી દીધો હતો. અને વ્યક્તિનો જીવ લઈ લીધો હતો. સુલતાના નામની આ યુવતી લગ્ન બાદ પણ તેના પ્રેમી સમીર સાથે અવારનવાર મળવા જતી હતી..
આ ઉપરાંત આમિર સાથે ખૂબ ખરાબ વર્તણુક કરતી હતી. શરૂઆતમાં તો ગામના લોકો વિચારી રહ્યા હતા કે, શું આત્મહત્યાનો મામલો છે કે, પછી તેની હત્યા કરવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા આ તમામ બાબતોનો ખુલાસો કરી દેતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ સુલતાનાના પરિવારજનોએ હોશ ગુમાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]