રાજ્યના જુદા જુદા જિલ્લામાં અવારનવાર વીજળી પડવાથી મોતના બનાવો બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ આંકડો વધી રહ્યો છે. હાલ ફરી એકવાર ગોરખપુરમાં વીજળી પડવાથી બે યુવકોના મોત થયા છે. બંને યુવકો ખેતરમાં વાવણી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. વાવણી દરમિયાન તેના પર આકાશી વીજળી પડી હતી..
અને તેમાં બન્ને ખેડૂતો પર કાળ ત્રાટકી પડ્યો હતો. વીજળીનો કરંટ લાગવાથી બંને ખરાબ રીતે દાઝી ગયા હતા અને ત્યારપછી તેમનું મૃત્યુ થયું હતું. આ મામલો ગોરખપુરના બાંસગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના હરનાહી ચોકી વિસ્તારના પિપરા ગામનો છે. જ્યાં ખેતરમાં વાવણી કરતી વખતે વીજળી પડતાં બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.
ત્યારબાદ ગ્રામજનો તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ડોક્ટરોએ જણાવ્યું કે વીજળી પડવાથી બંને યુવકોનું અડધું શરીર ખરાબ રીતે દાઝી ગયું હતું. અડધું શરીર લગભગ વાદળી થઈ ગયું હતું. પોલીસે મૃતદેહના પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલી હતી.
જુદા જુદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વીજળી પડવાને કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને એડીએમ એફઆરએ ગોરખપુર જિલ્લા પ્રશાસન વતી એક પત્ર જારી કર્યો છે. જેમાં દામિની એપ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. આની મદદથી લોકો ઘરની બહાર નીકળવાના 15 મિનિટ પહેલા એપ દ્વારા જાણી શકશે કે ક્યાં વીજળી પડવાની શક્યતા વધુ છે.
જેના કારણે વીજળી પડવાથી મોત અને ઘટનાઓમાં ઘટાડો થશે. આ આગાઉ પણ પાટણ, જામનગર, રાજકોટ અને ભરૂચમાં વીજળી પડવાના કારણે કુલ 15 લોકો અને 5 પશુઓના મોત થઇ ચુક્યા છે. રોજબરોજ બનતી આવી કુદરતી ઘટનાને લઈને લોકોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]