Breaking News

ખેતરની ઓરડીમાં રેહતા ભાગિયાના આખા પરિવારને કુહાડી મારીને કાસળ કાઢી નાખ્યા, એક સાથે 4 મોતથી હાહાકર મચી ગયો..!

કોઈને કોઈ ઘટનાને લઈને મગજમાં એક બીજા વ્યક્તિ ઉપર ગુસ્સો રાખવો અને નાની નાની વાતોને દાઢમાં ચડાવી તેની સાથે ગેર વર્તન કરવું એ સારી બાબત નથી. દરેક વ્યક્તિ હળી મળીને લાડપ્રેમથી રહેવું જોઈએ, કહેવાય છે કે, એકતા માં જ બળ હોય છે. જો પરિવારની એકતા તૂટી જાય તો ક્યારેક કયો વ્યક્તિ પરિવારને વેરવીખેર કરીને જતો રહે તેનું નક્કી પણ હોતું નથી..

હાલ કોઈ અજાણયા વ્યક્તિ આખાને આખા પરિવારને ખત્મ કરી નાખ્યો છે. આ મામલો છત્તીસગઢના દુર્ગ ભીલાઈનો છે. અહી આવેલા પોલીસ સ્ટેશન પાસેથી છ કિલોમીટર દૂર કફસાડા ગામ આવેલું છે. આ ગામમાં પુનારામ ટંડન નામનો વ્યક્તિ ખૂબ મોટું ખેતર ધરાવે છે. તેના ખેતરમાં મૂળ ઓરિસ્સાના બાલા ગીરથી ભોલાનાથ યાદવ નામનો એક યુવક તેના પરિવાર સાથે રહેતો..

અને ત્યાંજ ખેતી મજૂરી કામ કરતો હતો. આ યુવકની ઉંમર 34 વર્ષની છે. ભોળાનાથ યાદવની પત્ની નયના યાદવની ઉંમર 30 વર્ષની તેમજ તેના બે બાળકો જેમાં એક સાત વર્ષનો બાળક અને 12 વર્ષના બાળકનો સમાવેશ થતો હતો. તેના બંને બાળકો મુકતા અને પ્રમોદ બંને ખૂબ જ રાજી ખુશીથી આ પરિવાર સાથે ખેતરમાં જ બનેલા ઓરડીમાં રહેતા હતા..

અને ત્યાં ખેતી કામ કરી જીવન ગુજારતા હતા. એક દિવસ સવારે ગામના લોકો પુનારામ ટંડનના ખેતર પાસેથી પસાર થતા હતા. એટલા માટે તેઓએ નજીક જઈને જોયું તો ખેતરની ઓરડીની બહાર ભોલાનાથ યાદવની લાશ પડી હતી. આ જોતાની સાથે જ તેઓ ખૂબ જ હચમચી ગયા હતા.

તાત્કાલિક તેણે ખેતરની ઓરડીમાં પણ જોવાની કોશિશ કરી તો ઓરડીની અંદર ભોલાનાથની પત્ની તેમજ તેના બંને બાળકો પણ નીચે જમીન ઉપર પડેલા નજરે ચડયા હતા. આ તમામ વ્યક્તિઓના શરીર ઉપર કુહાડીના નિશાન પણ જોવા મળ્યા ત્યારબાદ ખેતરના માલિકને પણ ખેતરે બોલાવી લેવામાં આવ્યા..

અને આ ઘટનાની જાણકારી પોલીસને પણ આપવાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ત્યારબાદ તપાસ ચલાવતા જણાયું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ ભોલાનાથના સમગ્ર પરિવારને ખતમ કરી નાખ્યો છે. તેમની આ હાલત પાછળ કયો વ્યક્તિ જવાબદાર છે..

શું ભોલાનાથ યાદવની કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો કે શું..? આ તમામ બાબતોની જાણકારી મેળવવી રહી છે. આ બનાવની વાત વાયુવેગે આસપાસના ગામોમાં પ્રસરી જતા સૌ કોઈ લોકો પુનારામ ટંડનના ખેતર પાસે આવી પહોંચ્યા હતા અને શું થયું છે તેની ભાળ મેળવવા લાગ્યા હતા.

હાલ આ બનાવને લઈને ભારે ચકચાર મચી ગયો છે. ભોલાનાથ યાદવ ખૂબ જ સાધારણ વ્યક્તિ છે. તે મજૂરી કામ કરીને જીવન ગુજારે છે. આર્થિક રીતે ખૂબ જ કંગાળ હોવાને કારણે તે હંમેશા પોતાની લિમિટમાં જીવન જીવતા હતા. પરંતુ એક દિવસ પરિવારના ચારે ચાર વ્યક્તિઓનો એક જ દિવસે કાશળ નીકળી જતા તેમના સ્નેહીજનો પણ ભારે દુઃખના માહોલમાં છવાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *