ખેતરમાં મજૂરી કામ કરવા માટે ઘણા બધા મજુરો ખેતરની અંદર બનેલી ઓરડીમાં રહીને જીવન ગુજારે છે અને મજૂરી કામ કરીને જે પણ રૂપિયા કમાય તેમનાંથી તેમનું પરિવાર રાજીખુશીથી જીવન જીવતો હોય છે, અત્યારે આ મજૂરોની સાથે એક ચોંકાવનારો બનાવ બની ગયો છે. આ ઘટના જટન ગામની છે..
આ ગામમાં દર્શન સિંહના ખેતરની અંદર સિંહ જીતેન્દ્રસિંહ સહિતના મજૂરો કામકાજ કરે છે, તેઓ આખો દિવસ સુધી ખેતરમાં મજૂરી કરીને રાતના સમયે સાથે ભોજન લઈએ ઓરડીની અંદર જ સુઈ જતા હતા, કેટલાક લોકોની અંદર સુતા તો કેટલાક લોકો ઓરડીની બહાર ખાટલો ઢાળીને સુતા હતા..
જેમાં 28 વર્ષનો જીતેન્દ્ર એક દિવસ ઓરડીની બહાર ધાબળો ઓઢીને સૂતો હતો અને જ્યારે સવારના સમયે અન્ય મજૂર હોય તેને જગાડવાની કોશિશ કરી ત્યારે તે જાગ્યો નહીં અને ધાબળો ખેંચીને જોયું તો અંદરથી એવું મળ્યું કે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. અને ત્યાંથી તેઓ ભાગવા લાગ્યા અને ભાગીને ખેતરના માલિક દર્શન સિંહના ઘરે આવી પહોંચ્યા અને કહ્યું કે, તેમના ખેતરમાં ખૂબ અજુગતો બનાવ બની ગયો છે..
જ્યારે દર્શન સિંહ પોતાને ખેતરે આવી પહોંચે ત્યારે તેઓએ ધાબળો ઊંચી કરીને જોયું તો અંદરથી જીતેન્દ્રના શરીરના કટકા મળી આવ્યા હતા. આ જોતા જ હોય તેઓએ માથું પકડીને નીચે બેસી ગયા અને તરત જ ગામના સરપંચ સહિત મોટા આગેવાનો અને પોલીસને પણ જાણકારી પહોંચાડી દીધી કે, તેમના ખેતરમાં કામ કરતા મજૂરને કોઈ વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે..
અને તેની એવી રીતે માર મારવામાં આવ્યો છે કે જેને પણ ખૂબ જ દર્દનાક બાબત છે. તરત જ પોલીસ આવી પહોચ્યા અને પોલીસે માત્ર ત્રણ કલાકની અંદર જ આ ઘટનાના આરોપીને પકડી પાડીને ધૂળ ચટાડતો કરી દીધો છે. પોલીસ તરત જ જીતેન્દ્રસિંહના પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો..
અને ત્યારબાદ ખેતરમાં રહેલા અન્ય મજૂરોને પૂછપરછ કરવામાં આવી, પરંતુ શરૂઆતી પૂછપરછની અંદર કોઈ વ્યક્તિએ પોતાનું મોઢું ખોલ્યું નહીં, જ્યારે દરેક વ્યક્તિને જુદી જુદી રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે દરેક વ્યક્તિના નિવેદનમાં વિરોધાભાસ દેખાય આવ્યો હતો. જેને લઇ પોલીસે કડક પૂછપરછ શરૂ કરી અને તેમાં ખબર પડી કે, મંજીતસિંહ નામના વ્યક્તિએ જીતેન્દ્રસિંહને મોતને ઘાટ ઉતારી દીધો છે..
મનજીતસિંહ એ જણાવ્યું કે, જીતેન્દ્ર તેની બહેન ઉપર ખરાબ નજર નાખીને બેઠો હતો અને જેની જાણકારી મળતા તે ગુસ્સે ભરાયો અને જીતેન્દ્રને સમજાવ્યો હતો. પરંતુ જીતેન્દ્ર કોઈ કાળે તેની બહેનનો પીછો છોડવા માટે તૈયાર હતો નહીં. એટલા માટે તેને મોતને ઘાટ ઉતારી દેવો પડ્યો હતો…
દર્શન સિંહના ખેતર ની અંદર બનેલી આ ઘટનાને લઇ ચારેકોર ચોકચાર મચી જવા પામ્યો છે. ગામના લોકો પણ આ દ્રશ્યને જોવા માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા ખેતરની અંદર આવો હોશ છોડાવી દેતો ઘટના બની જતા ખેતરની ઓરડીની અંદર રહેતા મજૂરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]