2021 ની ડિજિટલ યુગની સદીમાં પણ અંધશ્રદ્ધા નાબૂદ થવાના મૂડમાં નથી ગામડાના વિસ્તારોમાં હજુ પણ ત્યાં ક્યાંક અંધશ્રદ્ધાના બનાવો નજર સામે આવતા હોય છે જેમાં ગુજરાત માં પણ બે કિસ્સા સામે આવ્યા હતા જેમાં એક કિસ્સામાં એક મહિલાને ડાકણ કહી હતી અને ત્યારબાદ તેના પર આખા ગામે ભેગા મળીને વાર કર્યો હતો અને એક કિસ્સામાં તો ગરમ તેલમાં હાથ ન ખવડાવ્યા હતા વધુ એક કિસ્સો ઝારખંડના ગુમલા જિલ્લા માં નોંધાયો છે
ગુમલા જિલ્લા ના આશરો ગામમાં તેમ્બો અને બીપૈત નામની બે મા-દીકરી પોતાનું જીવન ગુજારે છે. તેઓ એક દિવસ ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેના ગામના અને તેના જ સંબંધીઓ તેના ખેતરમાં ઘુસી આવ્યા હતા અને ટુ ડાકણ છો. તે અમારા આખા ગામને બરબાદ કરી નાખ્યું છે એમ કહીને તેને ઢોર માર મારવા લાગ્યા હતા.
આ દ્રશ્ય જોતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા પરંતુ તેઓએ તે માં-દીકરીને બચાવવાને બદલે તેના પર હુમલો કરીને ગામજનોનો પક્ષ લઈ લીધો હતો. હુમલો કરનાર લોકોનું કહેવું એમ છે કે આ મહિલાઓ મેલીવીધ્યા કરીને આખા ગામને બરબાદ કરતી હતી.
તે મહિલાએ ક્યારેય કોઈનું ભલું ઈચ્છ્યું નથી પરતું કોઇપણ પ્રકારના પુરાવા વગર મહિલાને ડાકણ કેહવી અને તેના પર ઢોર માર મારવો એ કેટલી હદે યોગ્ય ગણાય.. આ મહિલાને ઢોર માર માર્યો એ તો દુર ની વાત છે પણ ગામજનો એટલી હદે આપો ખોઈ બેઠા હતા કે તે મહિલાને બચકા પણ ભરી ગયા હતા.
શરીરે મન ફાવે તેમ બચકા ભરીને અંદરનું માસ પણ ખાવા લાગ્યા હતા. આ પ્રકારનું કાર્ય કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જ જોઈએ. કારણ કે તેઓએ કોઇપણ પ્રકારના સબુત વગર એ મહિલા અને તેની દીકરી પર ખોટી રીતે જુલમ કર્યો છે.
બચકા ભરનાર લોકોમાં ફગુવા, પવન અને પંકજ નામના યુવક સામેલ હતા. પીડિત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી પોતાનો જીવ બચાવવાની અપીલ કરી છે. તો પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે આ કેસની તપાસ થઇ રહી છે.આ અંગે ગ્રામજનોની પૂછપરછ થઇ રહી છે. આરોપી ફરાર છે અને તેને પકડી લેવામાં આવશે.
જયારે મહિલા પર લોકો તૂટી પડ્યા હતા ત્યારે ગામના એક સજ્જન યુવકે આ મહિલા અને તની દીકરીને ગામજનોના ત્રાસમાંથી મુક્ત કરી અને માર થી બચાવી.પીડિતા દ્વારા ઘાઘરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. એસએચઓ અભિનવકુમારે જણાવ્યું કે આ અંગે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટનાની તપાસ ચાલી રહી છે. દોષિત આરોપીઓને છોડાશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે મેલીવિદ્યાના નામે હત્યા કરવી આ ગંભીર ગુનો છે. લોકોમાં જાગૃતિનો અભાવ છે. પોલીસ ગામે-ગામે જઇને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]