આજના સમાજમાં એકબીજા લોકો નાની-નાની વાતમાં ઝઘડાઓ કરતા જોવા મળી રહ્યા છે લોકોના મગજ ખૂબ જ તામસી બની ગયા છે તેઓ નાની વાતને લઈને બીજાના પરિવાર સાથે બદલો લેવા માટે તેમના જીવ લઈ રહ્યા હોય છે અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે.
જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના કાનપુરમાં બની હતી. કાનપુરમાં આવેલા ગ્વાલટોલી વિસ્તારના રામપુર લોધવા ખેડા ગામમાં આ ઘટના બની હતી. લોધવા ખેડા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા. દીકરાનું નામ સૌરભ હતું અને તેના પિતાનું નામ બબલુ હતું.
બબલુ ખેડૂત હતા, જેને કારણે તેઓ પોતાની જમીનમાં ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સૌરભની ઉંમર 14 વર્ષની હતી. તે પોતાના પિતા સાથે ઘણીવાર ખેતી કામમાં મદદ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. સાથે સાથે ગામની શાળાએ અભ્યાસ કરવા પણ જતો હતો. એક દિવસ સૌરભ તેમના મિત્રો સાથે કોઈ પ્રસંગમાં ગયો હતો.
જેમાં તેના મિત્ર કૌશલ, રાકેશ અને સની સાથે તે ગામના મુંડન સમારોહમાં ગયો હતો. તે સમયે આ સમારોહમાં ગામના ઘણા બધા પરિવારના લોકો આવ્યા હતા. સૌરભને ગામની એક કિશોરી પસંદ આવતી હતી, જેને કારણે તે કિશોરીને મળવા માટે ગયો હતો. તે સમયે દીકરીના પિતા સૌરભ અને તેની દીકરીને મળતા જોઈ ગયા હતા.
તે દીકરીને જોઈ ગયા તેના પિતાનું નામ ઉદાન હતું. ઉદારના દીકરાનું નામ સોનું હતું. સોનું પણ તેની બહેનને કોઈ અજાણ્યો છોકરો મળવા આવ્યો જેના કારણે તે પણ ગુસ્સે થયો હતો. પોતાના મગજ પર ખાર ચડી ગયો હતો અને તે ગુસ્સે થઈ ગયો હતો. પોતાની દીકરી સાથે સૌરભને ઉદાન જોવા માગતો નહોતો, જેના કારણે મુંડન સમારોહમાંથી સૌરવ અને તેમના મિત્ર પરત આવી રહ્યા હતા.
તે સમયે ઉદાન અને તેના પુત્ર સોનુએ નાથાપુર પાસે ચાલીને ઘેરી લીધા હતા. ચારેય જણાએ ભાગવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેને લોખંડના સળિયા વડે ઘા મારવામાં આવ્યા હતા જેને કારણે ત્રણ મિત્રો ભાગી ગયા હતા અને સૌરભ ત્યાં જ પડી ગયો હતો. ત્રણેય મિત્રો ભાગીને સૌરભના ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
જેના કારણે પરિવારના લોકો જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ તેમને સૌરવ કે ઉદાન અને તેમનો દીકરો સોનુ દેખાયા ન હતા ત્યારબાદ પરિવારના લોકોને ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરાના ગુમ થયાની અને તેના પર હુમલો થયાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે આ ફરિયાદને ઠુકરાવી દીધી હતી. જેના કારણે પરિવારના લોકો પોલીસ કમિશનર પાસે ગયા હતા.
ત્યાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતા અને તેમના પુત્ર સોનુના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. જેના પરથી સોનુંના મિત્રોને દરેક ઘટનાની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે તેના મિત્રએ જણાવ્યું હતું કે સૌરભ ઉદાનની દીકરીને મળવા માટે ગયો હતો અને ઉદાન બંનેને એકસાથે જોઈ ગયો હતો જેના કારણે તેને ગુસ્સો આવ્યો હતો.
સૌરભ સાથે મારપીટ કરી હતી ત્યારબાદ ઉદાને તેના દીકરા સોનુંની પૂછપરછ કરતા સમએ તેને જણાવ્યું હતું કે સૌરભને માર મારતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેને બાંધીને મૃતદેહને બોરીમાં ભરીને ગંગાબેરેજ પાસેના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ તળાવ પાસે પહોંચીને સૌરભની મૃતદેહને બહાર કાઢવામાં આવી હતી.
પરંતુ તેનું મોઢું પણ ઈંટોના ઘા મારીને ચૂંદી નાખવામાં આવ્યું હતું જેના કારણે સૌરભની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેને કારણે પરિવાર ખૂબ જ રડી રહ્યું હતું અને તેઓ આઘાતમાં આવી ગયા હતા એટલે દીકરા સાથે આવી કરણ ઘટના બની જતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ઉદાન અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]