સાપનું નામ સાંભળતા જ સામાન્ય માણસના મનમાં એક અજીબ પ્રકારનો જ ડર પેદા થઈ જતો હોઈ છે. એમાં પણ જો સાપ ડંખ મારી લે તો તો પછી ભાગમ દોડ જ મચી જાય છે. પરતું આજે અમેં તમને એક કિસ્સો જણાવા જી રહ્યા છીએ જેમાં કઈક જુદું જ બન્યું છે અને અંતે સાપનું મૃત્યુ થયું છે..
હકીકતમાં સાપ કરડે તો માણસનો જીવ જોખમમાં મુકાઈ છે પરંતુ આ કિસ્સામાં માણસના જીવને બદલે સાપનો જીવ ચાલ્યો ગયો છે. આ કિસ્સો ઓડિશાના જાજપુર જિલ્લાના એક દૂરના ગામનો છે. આ ગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, એક દૂરના ગામના 45 વર્ષીય વ્યક્તિને સાપને ડંખ માર્યો હતો.
આ વ્યક્તિનું નામ છે કિશોર બદરા. દાનાગડી બ્લોક હેઠળના સાલજુંગા પંચાયતના ગંભીરપાટિયા ગામનો કિશોર બદરા બુધવારે ડાંગરના ખેતરમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે પરત ફરતી વખતે તેના પગ પર ઝેરી સાપે ડંખ માર્યો હતો. જે બાદ બદરાએ સાપને જોયો અને તેને પકડી લીધો.
તેને પકડ્યા બાદ બદલાની ભાવનામાં તેણે સાપને તેના દાંત વડે કરડીને મારી નાખ્યો. આ ઘટના પછી, તે મૃતકો સાથે તેના ગામ પરત ફર્યો, તેણે તેની પત્નીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. થોડા સમય બાદ આ ઘટના આખા ગામમાં ફેલાઈ ગઈ, બદરાએ પણ તેના મિત્રોને મૃત સાપ બતાવ્યો.
ગામના કેટલાક લોકોએ બદરાને નજીકની હોસ્પિટલમાં સલાહ લેવા કહ્યું, પરંતુ બદ્રાએ સલાહ પર ધ્યાન આપ્યું નહીં અને હોસ્પિટલમાં જવાને બદલે તેણે તે જ રાત્રે પરંપરાગત સારવાર અપનાવી. બદરાએ ઘટના બાદ ગુરુવારે કહ્યું હતું કે ભલે મને એક ઝેરી ક્રેટ સાપ કરડ્યો હોય, પરંતુ મને તેનાથી કોઈ સમસ્યા નથી. જો કે, હું ગામની નજીકના પરંપરાગત ડૉક્ટર પાસે ગયો અને હવે હું ઠીક છું.
હકીકતમાં આ કિસ્સાને જોઈને બે પ્રકારના તારણો બહાર આવે છે કે, આ વ્યક્તિએ સાપને બદલાની ભાવનામાં મારી ન નાખવો જોઈએ.. કારણ કે ડંખ મારવો એ સાપનો સ્વભાવ છે. તેથી વન્ય જીવોનો જીવ લેવો તે યોગ્ય વાત કહેવાઈ નહી. જો આ બાબત વધારે પડતી આગળ વધશે તો કદાચ આ વ્યક્તિને સજા પણ થઈ શકે છે…
જયારે બીજું તારણ એવું છે કે, માણસને સાપે ડંખ માર્યો હતો.. એવી પરિસ્થિતિમાં તેમનો જીવ પણ ચાલ્યો જાત.. જયારે કોઈ વન્ય જીવ કરડે ત્યારે આપડું મન તેને નષ્ટ કરી નાખવાની વૃતિ પર આવી જાય છે. આપડે એ વૃતિ પર કાબુ રાખવું જોઈએ. પરતું આ માણસથી એ વાત શક્ય ન બનતા તેણે સાપને સામુ બચકું ભરી લીધું હતું.. અને અંતે સાપનું મોત થયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]