ખેડૂતના 7 વર્ષના દીકરાએ તળાવમાં જોઈ લીધું એવું કે રડતા-રડતા ધ્રુજવા લાગ્યો, પરિવાર તળાવે પહોચ્યો અને તપાસ કરતા જ મળ્યું એવું કે ઉડી ગયા સૌ કોઈના હોશ..!

જો નાના બાળકો કોઈ એવી ગંભીર પરિસ્થિતિને જોઈ જાય તો તેને તેઓ સમગ્ર જિંદગી પર ભુલાવી શકતા નથી, કારણ કે નાની ઉંમરમાં કોઈ ભયંકર દ્રશ્ય જુવાને કારણે તેઓ ઉપર ખૂબ જ મોટી અસર થઈ જતી હોય છે. હાલ કંઈક આવો જ બનાવો એક ખેડૂતના સાત વર્ષના દીકરા સાથે બન્યો છે..

આ દીકરો પોતાના ઘરેથી નીકળીને ગામના તળાવ પાસે રમવા માટે જતો હતો. તે રોજની જેમ પોતાના મિત્રો સાથે રહેલા ઝાડ નીચે રમતો હતો. રમતા-રમતા તેણે તળાવમાંથી એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, એ જોતાની સાથે જ તે રડવા લાગ્યો હતો. અને ઘર તરફ ભાગવા લાગ્યો ઘરે પહોંચવાની સાથે જ તે એકાએક ધ્રુજવા પણ લાગ્યો હતો.

આ જોતાની સાથે જ તેના પરિવારજનો વિચારવા લાગ્યા કે, આખરે આ દીકરા એવું તો શું જોયું છે કે, તેના કારણે તે રડવા લાગ્યો છે. તેમજ તેની સાથે એવું શું બન્યું હશે કે જેના કારણે આ દીકરો આટલો બધો ગંભીર રીતે ડરી ગયો છે. તેણે આ દીકરાને પૂછવાની કોશિશ કરી કે બેટા આખરે તને એવું તો શું થયું છે કે, તું રડવા લાગ્યો છે..

ત્યારે સાત વર્ષના દીકરાએ કાલેઘેલી ભાષામાં તેના માતા પિતાને જણાવ્યું કે, તળાવ પાસે મારી જેવા બે બાળકો અને એક મમ્મી જેવડી મહિલા તરે છે. પરંતુ તેની આંખો બંધ હતી. આ સાથે સાથે તે પાણીમાં સૂતી હોય તેવું લાગે છે. આ જોઈને મને ખૂબ જ ડર લાગ્યો અને હું રડતો રડતો ઘર તરફ ભાગવા લાગ્યો..

આ સાંભળતાની સાથે જ ખેડૂત તેના પરિવારને લઈને તળાવ કાંઠે પહોંચ્યા તેમજ આસપાસના પડોશીઓ પણ ત્યાં તપાસ માટે પહોંચી ગયા હતા. અને ત્યાં જઈને જોયું તો અંદાજે આઠથી દસ વર્ષની ઉંમરના બે બાળકો અને 30 થી 35 વર્ષની ઉંમરની એક મહિલાની લાશ તળાવમાંથી મળી આવી હતી..

આ દ્રશ્ય જોતા ની સાથે જ સૌ કોઈ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તેઓ વિચાર બન્યા કે, આખરે ગામના આ તળાવમાં આ વ્યક્તિઓની લાશ કેવી રીતે આવી હશે, તેમજ આ બનાવ કેવી રીતે બન્યો હશે. આ ચોંકાવનારી ઘટનાને લઈને વાયુવેગે સમાચાર સમગ્ર ગામમાં પ્રસરી ગયા હતા..

ત્યારબાદ ગામના લોકો તળાવ કાંઠે ઉમટી પડ્યા હતા. આ સાથે સાથે ગામના સરપંચે પોલીસને પણ જાણકારી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી ચલાવી જેમાં પ્રાથમિક તપાસમાં જાણ મળી કે, 34 વર્ષની સીતા દેવી નવ વર્ષનો દીકરો લક્ષ્ય અને દસ વર્ષની દીકરી મનીષા છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરેથી ગાયબ હતા..

અને આ ત્રણે ત્રણ વ્યક્તિઓની લાશ આ તળાવમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. ગામના સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે આ ત્રણેય વ્યક્તિઓના લાશને બહાર કાઢવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે..

આ ત્રણેય વ્યક્તિઓ શા માટે પોતાના ઘરેથી ગુમ થયા હતા, અને શા માટે તેઓએ જીવ ટૂંકાવી દીધો છે. આ બાબતને લઈને હજુ કોઈ પણ વધુ માહિતી મળી નથી. પરંતુ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. અને આ મામલાનો કિસ્સો સુલજાવાની કોશિશ કરી રહી છે.

પરંતુ આ મહિલા તેના બંને બાળકોને લઈને તળાવમાં કૂદીને આપઘાત કર્યો છે કે, પછી કોઈ અન્ય વ્યક્તિએ આ ત્રણેય વ્યક્તિઓને મારીને ફેંકી દીધા છે. આ ઘટનાની પણ તપાસ થઈ રહી છે, ફૂલ જેવા દીકરા દીકરીને સાથે માતાનો પણ મૃતદેહ મળી આવતા તેના પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment