ઘણી બધી આકસ્મિક ઘટનાને કારણે થતા અકસ્માતો ખૂબ જ જોવા મળી રહ્યા છે. અકસ્માત સર્જાતા એકસાથે ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આપણા દેશમાં ભગવાનનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેના કારણે શ્રદ્ધાળુ અવારનવાર ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છે. યાત્રાળુઓ યાત્રા કરવા જઈ રહ્યા છે.
જેને કારણે તેની સાથે બનતી હોનારતો ખૂબ જ જોવા મળી રહી છે. યાત્રાળુઓ સાથે કરુણ ઘટના બની જતા તેની સાથે રહેલા પ્રવાસીઓ પણ ગંભીર હાલતમાં મુકાઈ જાય છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના કેદારનાથમાં બની હતી. કેદારનાથમાં શ્રદ્ધાળુ દર વર્ષે ખૂબ જ ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છે.
હાલમાં કેદારનાથમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને પહાડ પર લઈ જવામાં આવે છે, જેને કારણે બનેલી ઘટના હાલમાં જોવા મળી હતી. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં મુસાફરી 7 લોકો મુસાફરી કરતા હતા. જેમાં બે પાયલટ અને અન્ય 5 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. હેલિકોપ્ટર સવારના સમયે કેદારનાથના બેઝ કેમ્પથી નારાયણ કોટી-ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી.
આ હેલિકોપ્ટર આર્યન એવિએશનની બેલ કંપનીનું હતું. તે સમયે ટેકોફની 15 મિનિટ પછી ગરુડ ચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સાંભળવા મળ્યા હતા. જેના કારણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે ધુમ્મસ જોવા મળ્યું હતું. અને ખૂબ જ ભારે ધુમ્મસને કારણે હેલિકોપ્ટર જમીન સાથે અથડાયું હતું.
અથડાતાની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેને કારણે તેમાં બેસી રહેલા વ્યક્તિઓ બળી ગયા હતા અને ઘણા મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેમાં હેલિકોપ્ટરમાં બેઠેલા વ્યક્તિઓના નામ પૂર્વા રામાનુજ, કૃતિ બ્રોડ, ઉર્વી, સુજાતા, પ્રેમકુમાર, કાલા અને પાયલોટ અનિલ સિંહ હતા,
જેમાંથી પૂર્વી, ઉર્વી અને કૃતિએ ગુજરાતની દીકરી હતી. પાયલટ અનિલ મહારાષ્ટ્રના હતા અને બાકી રહેલા આ ત્રણેય વ્યક્તિઓ તમિલનાડુના હતા. સાત વ્યક્તિઓના કરુણ મૃત્યુ થઈ ગયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થયાની જાણ થતા જ દરેક સહાયક કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
અને હેલિકોપ્ટરમાં બેઠેલા વ્યક્તિઓને બચાવવાનું મિશન હાથ થયું હતું પરંતુ એકસાથે વ્યક્તિઓનું મૃત્યુ થઈ જતા લોકોમાં આઘાત આવી ગયો હતો અને આ ઘટનાની જાણ દરેક લોકોને થતા લોકોએ ખૂબ જ દુઃખદ વ્યથા વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન શ્રી તેમજ અન્ય મંત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. આવી ઘટના ગંભીર બની રહી છે જેને કારણે દરેક વ્યક્તિઓએ સાચવીને રહેવું જોઈએ અને ક્યારે કોની સાથે શું બની જાય તે કોઈ કહી શકાતું નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]