ગામડામાં રહેતા લોકોનો સ્વભાવ ખૂબ જ દયાળુ હોય છે અને તેઓ પોતાના ખેતરમાં ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે. નાની મોટી વાવણી કરીને તેમનો એક એક પાઈ પૈસા ભેગા કરીને પોતાની સંપત્તિ બનાવી રહ્યા હોય છે. તેઓ દર વર્ષે થતી વાવણીના પૈસામાંથી સોના દાગીના અને તેમના રહેવા માટે સારા ઘર બનાવતા હોય છે.
પરંતુ ક્યારે તેમની આ સંપત્તિને નજર લાગી જાય તે કહી શકાતું નથી. આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના હરિયાણાના હિસાર જિલ્લાના ભૈની બાદશાહપુર ગામમાં બની હતી. ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવાર પોતાના એક એક પૈસા ભેગો કરીને મકાન બનાવ્યું હતું. અને ત્યારબાદ તેઓ ખેતી કામ કરતા હતા.
પોતાના ખેતરની જમીન વાવીને તેમનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના યુવકનું નામ પિર્થિ સિંહ હતું. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. તેમના ખેતરમાં કપાસની ખેતી કરી હોવાને કારણે કપાસ મોટો થઈ જતા તેને વીણવા માટે તમામ પરિવારના સભ્યો દરરોજ સવારે ખેતરે જતા અને સાંજે પાછા આવતા હતા.
એક દિવસ પણ તેઓ દરરોજની જેમ ખેતરે સવારના સમયે જવા માટે નીકળ્યા હતા તે સમયે આસપાસનું વિસ્તારના કોઈ અજાણ્યો યુવક અવારનવાર તેના ઘર પર નજર રાખી રહ્યો હતો પરંતુ મકાન માલિક પિર્થિ સિંહને આ ઘટનાની જાણ ન હતી અને તેઓ સવારના સમયે પોતાના પરિવાર સાથે ખેતરમાં કપાસની વીણી માટે ગયા હતા.
અને તેઓ સાંજ થતા પોતાના ઘરે પરત આવ્યા હતા. ત્યારે તેમણે જોયું તો જોઇને ઘરના તમામ સભ્યોના પગ ધ્રુજવા લાગ્યા હતા. દરેક પરિવારના લોકો ચોકી ગયા હતા. તેમના પરિવારની મહિલાઓને પોતાના ઘરે કોઈ અણધારી ઘટના બની છે તેમ લાગી રહ્યું હતું અને તેઓએ ઘરે પહોંચતા જોયું તો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો.
દરેક ઘર પરિવારના લોકો ખૂબ જ ડરી ગયા હતા. તેઓ ધીમે ધીમે પોતાના ઘરની અંદર ગયા હતા અને તેમના ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો અને ઘરમાં તમામ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. જેને કારણે પિર્થિ સિંહની પત્ની ચીસ પાડી બેઠી હતી અને તે તરત જ પોતાના રૂમમાં ગઈ હતી અને તેમને જોયું તો તેમના કબાટ પણ ખુલ્લા હતા.
કબાટમાં રહેલા તિજોરીના બોક્સમાં ખુલ્લા હતા. આ જોઈને પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. તરત જ પિર્થિ સિંહે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે ઉકલાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસ કરતા સમયે જણાવ્યું હતું કે તેમની તિજોરીમાં મુકેલા ત્રણ તોલા સોનું અને 5000 રોકડા રૂપિયા ગાયબ હતા.
ત્રણ તોલા સોનામાં એક સોનાની ચેન અને એક જોડી સોનાની કાનની બુટ્ટી અને મંગળસૂત્ર ગાયબ હતું. જેના કારણે પોલીસને લુટેરાઓ જાણીતા કોઈ ઘરે આવ્યાની આશંકા હતી કારણ કે તેમણે બીજી કોઈ પણ વસ્તુની વેરવિખેર કર્યા વગર કબાટમાં દરેક સામાન આમતેમ કરી નાખ્યો હતો. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
પરિવારના સભ્યો સાથે આ ઘટના બની જતા પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. તેઓએ ભેગી કરેલી સંપત્તિને કોઈ લુટેરો લૂંટી ગયો હતો. જેના કારણે પરિવારના લોકો માથે હાથ મૂકીને રડી રહ્યા હતા
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]