કપાસના ભાવમાં આ વર્ષે ખુબ સારી તેજી જોવા મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે ભાવ આ વર્ષે રહ્યા છે. કારણ કે આ વર્ષે કુદરતી આફતોને કારણે પાક બગડી જવાથી પાકોનું ઉત્પાદન ખુબ જ ઓછું છે અને તેની સામે બજારમાં માંગ ખુબ મોટી છે. એટલા માટે કપાસ સહિત મગફળીના ભાવમાં પણ ખુબ સારી તેજી નોંધાઈ છે.
આ વર્ષની ખેતીમાં પાકોનું ઉત્પાદન ઓછું છે પરતું ભાવ સારા મળી રેહતા ખેડૂતોને રાહતનો શ્વાસ મળ્યો છે. હાલ વાત કરીએ કપાસની તો મહારાષ્ટ્રમાં કપાસના પાકમાં વેપારીએ રસ દાખવવાનું બંધ કરી દેતા.. ખરીદી ઓછી થઈ છે. જેના પગલે ગુજરાતની APMC બજારમાં કપાસના ભાવ ઘટવા લાગ્યા છે…
ગુજરાતના જુદા જુદા બજાર મુજબ કપાસના ભાવોની વાત કરીએ તો બોટાદના બજારમાં કપાસનો ભાવ અત્યારે સૌથી વધારે છે. ખરીદીનું પ્રમાણ ઓછું થતા જલ્દી જ ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે.
સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1300 થી 2150 છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 2050 છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2100 છે. તો ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં 1590 થી 2040 સુધીના ભાવ નોંધાયા છે. તેમજ ગઢડા માર્કેટિંગ યાર્ડમાં 1420 થી 2010 ભાવ રહેલા છે.
ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1330 થી 1950, ધારી 1200 થી 1930, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1550 થી 2050, તળાજા માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 2130, હળવદ માર્કેટિંગ યાર્ડમાં 1670 થી 2080, રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 1300 થી 2000, મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1460 થી 1980, તેમજ બાબરા માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2070 સુધીના ભાવ નોંધાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1360 થી 1970, કાલાવાડ માર્કેટિંગ યાર્ડમાં 1420 થી 1930, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1030 થી 2065, મહુવા 1130 થી 2085, જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં 1500 થી 2000, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 1900, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1300 થી 1960 સુધીના ભાવ નોંધાયા છે.
વિસનગર માર્કેટિંગ યાર્ડમાં 1130 થી 2045, ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં 1610 થી 2050, કડી માર્કેટિંગ યાર્ડમાં 1350 થી 2040, હિમ્મત નગર માર્કેટિંગ યાર્ડમાં 1430 થી 2020, મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 1760 થી 1960, પાટણ માર્કેટિંગ યાર્ડમાં 1450 થી 2110, વિરમગામ 1420 થી 2095 સુધીના ભાવ નોંધાયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]