Breaking News

કાંકરાપાર ડેમ પર લીધેલી સેલ્ફીએ જીવ લીધો, પગ લપસતા ડેમમાં પડ્યો યુવક, નહેરના પ્રવાહમાં વહેતી લાશ ઘણે દુરથી મળી..!

થોડા થોડા સમયે પોતાનાં કામ-ધંધા માંથી આરામ લઈને મગજ ફ્રેશ કરવા માટે સૌ કોઈ લોકો ફરવા જતા હોય છે. કોઈપણ જગ્યાએ ફરવા ગયા બાદ ભરપૂર માત્રામાં ફોટોગ્રાફીનું ચલણ ચાલી રહ્યું છે. સૌ કોઈ લોકો મનમૂકીને ફોટા પાડવા લાગતા હોય છે. પરંતુ એ સમય દરમિયાન જીવને જોખમમાં ન મૂકવો જોઈએ…

કોઈપણ પ્રકારના સ્ટન્ટ ન કરવો જોઈએ કે જેના કારણે પોતાના જીવને જોખમ રહે. પરંતુ આજકાલના યુવકો તેમજ યુવતીઓ ફોટા પાડવા માટે કંઈ પણ કરવા માટે રેડી થઈ જતા હોય છે. હાલ સુરતના કાકરાપાર ડેમ વિસ્તારમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. બનાસકાંઠા જિલ્લાનો વતની કે જે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા વેલંજા ગામમાં રહે છે..

વેલંજા ગામમાં રહેતો 22 વર્ષનો હિતેશભાઈ રબારી પોતાના મિત્રો કૃણાલ, આકાશ, દિલીપકુમાર, ચેતન સાથે કાકરાપાર ડેમ જોવા માટે ગયો હતો. તમામ મિત્રો ખુશખુશાલ હસતા મુખે કાકરાપાર ડેમ જોવા માટે ગયા હતા. ડેમ જોયા બાદ તેઓ કાકરાપાર ડેમ ઉપર ભેગા થઈને ફોટા પડાવતા હતા.

ફોટા પાડતી વખતે આસપાસના દરેક પરિબળોનું ધ્યાન રાખવું પડે છે. કારણકે શરીરનું જરાક પર સંતુલન બગડે એટલે ફરવાની મજા મોત ની સજા માં પરિવર્તન પામી જતી હોય છે. અને હાલ હિતેશભાઈ રબારી સાથે આ પ્રકારની જ એક ઘટના બની છે. દરેક મિત્રો જુદા જુદા ફોટા પાડી રહ્યા હતા…

એ સમય દરમિયાન હિતેશભાઈ રબારી કાકરાપાર ડેમની પાળી ઉપર ઊભા હતા. અને ફોટો પડાવી રહ્યા હતા. ત્યારે એવોને મનમાં એ વિચાર પણ નહીં હોય કે કદાચ આ મારો ફોટો આખરી ફોટો બની જશે. તેનો પગ પાણીના કારણે લપસી ગયો હતો. અને તે ડેમમાં પડી ગયા હતા..

આ દ્રશ્ય જોયા બાદ સૌ મિત્રો જોર જોરથી બુમ કરવા લાગ્યા હતા. અને લોકોની મદદ માગી રહ્યા હતા. પરંતુ હિતેશભાઈ રબારી ડેમ માંથી છૂટી પડતી નહેરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ નહેરનો પ્રવાહ એટલો બધો મજબૂત હતો કે તેમાંથી તરતા તરતા કોઈપણ વ્યક્તિને બચાવો ખૂબ જ મુશ્કેલ હતો.

સૌ મિત્રો બૂમાબૂમ કરતા રહ્યા. અને એક બાજુ હિતેશભાઈ રબારી આ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા રહ્યા. આ ઘટના બન્યા બાદ તમામ મિત્રોએ માંડવી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. માંડવી પોલીસ તરવૈયાઓ સાથે કાકરાપાર અણુમથક ના તળાવ વિસ્તારમાં આ યુવકને શોધવા માટે કામકાજ શરૂ કર્યું હતું..

પરંતુ શહેરના આગળના ભાગમાં આવેલા વાંકલ ગામમાં ટેકરી ફળિયા માંથી પસાર થતી આ નહેરના વહેમ માંથી હિતેશભાઈ ની લાશ મળી આવી છે. આ લાશ મળી આવતાની સાથે જ માંડવી પોલીસે હિતેશભાઈ ના પરિવારને જાણ કરી હતી. પરિવારે પોતાના દીકરાને ફરવા માટે મોકલ્યો હતો અને હવે પરિવારમાંથી પોતાના દીકરાની અર્થી ઉઠી છે..

હકીકતમાં આ ઘટના બન્યા બાદ પરિવાર ખૂબ જ દુઃખ ના માહોલમાં ચાલ્યો ગયો છે. તો હિતેશભાઈ ના મિત્રોના મનમાં પણ શોક છવાઈ ગયો છે. કારણ કે તે હોય તેના મિત્રને નજર સામે જીવ ગુમાવતો જોયો છે તેમજ તેઓને તેના મિત્ર હિતેશનું આ મોત ક્યારેય નહી ભૂલાઈ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *