અત્યારે દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. જેમ જેમ લોકોને વેકેશન પડતા જાય છે. તેમ તેમ ખરીદી માટે બજારમાં ભીડ પણ ખૂબ જ વધારે ઉમટી રહી છે. આ ઉપરાંત દરેક ચીજ વસ્તુઓમાં મોંઘવારીને કારણે આ વર્ષની ખરીદી દરેક લોકોને ખૂબ જ મોંઘી પડવાની છે. પરંતુ દિવાળીના તહેવારમાં લોકો મન મૂકીને ખરીદી કરે છે..
જે વ્યક્તિની કમાણી ખૂબ જ ઓછી હોય, આ ઉપરાંત આર્થિક તંગીમાં પરિવાર જીવતો હોય તે લોકોને ખરીદીમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો કેટલાક પરિવારજનો સાવ નજીવી ખરીદી કરીને રોડવી લેતા હોય છે. અત્યારના દેખાદેખીના સમયમાં આજકાલના યુવક યુવતીઓ રોડવી લેવામાં માનતા નથી..
તેઓને કોઈ ચીજ વસ્તુ જોઈએ એટલે કોઈ પણ ધોરણે તેને ખરીદી લેતા હોય છે. જ્યારે ઘરના વડીલો ચીજ વસ્તુઓને લાંબે સમય સુધી ચલાવી ખર્ચ કરવાનું ટાળતા હોય છે. અત્યારે મોટી શેરી વિસ્તારમાં બ્રિજવિહાર નામની સોસાયટી આવેલી છે. અહીં હંસાબેન તેમના પરિવારજનોની સાથે રહે છે..
તેમના પતિનું આજથી પાંચ વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હતું. તેમનો એકનો એક લાડકો દીકરો ભૌતિક અને ભૌતિકની પત્ની ભાવના સાથે હંસાબેન રહેતા હતા. ભૌતિક અને ભાવનાના લગ્નના હજુ માત્ર એક જ વર્ષ થયા હતા. ભાવનગર કામ કરીને જીવન ગુજારતી હતી. ત્યારથી ભૌતિક અને ભાવનાના લગ્ન થયા ત્યારે જ ભૌતિકની નોકરી છૂટી ગઈ હતી..
તે અન્ય કોઈ નોકરી ધંધાની શોધમાં હતો. એટલા માટે આ વર્ષે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ હતી. દિવાળીમાં સમય નજીક આવ્યો ત્યારે સૌ કોઈ લોકો ખરીદી કરે છે. પરંતુ આ પરિવારમાં પૈસાની તંગી હોવાને કારણે હંસાબેને ભાવનાને જણાવ્યું હતું કે આ વખતે કમાણી બંધ છે..
એટલા માટે આપણે સાવ નજીવી ખરીદી કરવી જોઈએ, આ ઉપરાંત જો ખરીદી કર્યા વગર ચાલે એમ હોય તો આપણે આવતા વર્ષે વધારે ખરીદી કરીશું. પરંતુ પોતાની સાસુએ ખરીદી કરવાની ના પાડે છે. તેમ કહી ભાવનાને ખૂબ જ માથું લાગી આવ્યું હતું. તે વિચારવા લાગી કે તેની સાસુએ તેને ખરીદી કરવાની ના પાડે છે.
અને આગળ જતા પણ તે તેની સાથે પૈસાની બાબતોને લઈને આવો વ્યવહાર કરશે, તો તે કેવી રીતે જીવન જીવી શકશે. ભાવના ઘરની પરિસ્થિતિને સમજી શકી નહીં અને પોતાની જીદ ઉપર અડગ રહી અને ખરીદી કરવા માટે તેને ભૌતિક પાસેથી ₹20,000 ની માંગણી કરી હતી..
પરંતુ નોકરી ધંધો બંધ હોવાને કારણે ભૌતીકે પણ પૈસા આપવાની ના પાડી હતી. બસ આ વાતનો તેને ખૂબ જ માઠુ લાગી આવ્યું હતું. એક દિવસ સાંજે ના સમયે પરિવાર જમીને પોતપોતાની રૂમમાં સુઈ ગયો હતો. જ્યારે સવારના સમયે ભૌતિક જાગ્યો અને જોયું તો તેની બાજુમાં તેની પત્ની ભાવના મૃત હાલતમાં પડી હતી..
અને તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ પણ નીકળી આવ્યા હતા. આ જોતા જ તે સમજી ગયો કે ભાવના એ દવા પીઈને આપઘાત કરી લીધો છે. તેણે તાત્કાલિક તેની માતા હંસાબેનને ત્યાં બોલાવ્યા હતા. હંસાબેન અને ભૌતિકના મોઢા ફાટેલાને ફાટેલી જ રહી ગયા હતા. કારણ કે ભાવના એ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..
આ ઉપરાંત આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે હાજર થયા હતા. તો બીજી બાજુ ભાવનાના માતા પિતા પણ ત્યાં આવી પહોંચ્યા અને ભૌતિક તેમજ હંસાબેનને ખખડાવવા લાગ્યા હતા કે, તેઓએ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જો ભૌતિક અને હંસાબેન બંને તેમની દીકરીને લાડ પ્રેમથી રાખી શકે તેમ હતા નહીં તો શા માટે લગ્ન કર્યા વગેરે વગેરે સંભળાવવા લાગ્યા હતા.
ભાવના પોતાના પરિવારની પરિસ્થિતિ સમજી શકી નહીં, જ્યારે આગળના સામે આવી ત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે, ભાવના એ તેની સાસુની વાત સમજવી જોઈએ કારણ કે જો પરિવારમાં પૈસાની કમી હોય તો સૌ કોઈ લોકોએ ખૂબ જ ધ્યાન રાખીને જીવન જીવવું પડે છે. પરંતુ ભાવના આ બાબતને સમજી શકી નહીં અને પોતાની જીદ ઉપર અલગ રહીને આપઘાત કરી લીધો હતો. અત્યારે આ પરિવાર માટે ખૂબ જ મોટી દુઃખની ઘડી આવી પડી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]