દરેક માતા પિતાને પોતાના દીકરા કે દીકરી ઉપર ખૂબ જ ગર્વ હોય છે કે, તેઓ મોટા થઈને ખૂબ જ સારું ભણતર ભણે. તેમજ સારા નોકરી અને ધંધા કરી પોતાના માતા પિતા અને સમગ્ર દેશનું નામ રોશન કરે, પરંતુ અમુક વખત જુવાન ઉંમરમાં દીકરા કે દીકરીઓ એવા રવાડે ચડી જતા હોય છે..
જેને લઇ તેના માતા-પિતા ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે. તો કેટલીક વખત સમાજમાં ઈજ્જત ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. અત્યારે કંઈક આ પ્રકારનો જ એક બનાવો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના પુંજાપુર ગામમાંથી સામે આવ્યો છે. અહીં એક કળિયુંગી દીકરાએ પોતાની હરકતોને કારણે માતા-પિતાનું જીવવાનું હરામ કરી નાખ્યું હતું.
પંજાપુર ગામમાં તારાચંદ રાજપુત તેમજ તેમની પત્ની મમતા રાજપુત રાજી ખુશીથી જીવન ગુજારતા હતા. તેમનો એકનો એક દીકરો ગોપાલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ આવનાર રવાડે ચડી ગયો હતો. અને ખૂબ જ ખોટા કામો પણ કરવા લાગ્યો હતો. જ્યારે તારાચંદ રાજપૂત અને મમતા રાજપુતને જાણ થઈ કે, તેમનો દીકરો ગોપાલ ખૂબ જ ખોટા કામો કરી રહ્યો છે..
ત્યારે તેઓએ તેમના દીકરાને સાચી રાહ ઉપર વાળવા માટે ખૂબ જ સમજાવ્યો હતો. પરંતુ તેમનો દીકરો ગોપાલ માતા-પિતાને આ વાતને સમજવાને બદલે તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ઘણી બધી વાર આ બાબતને લઈને માતા-પિતા અને તેના દીકરા વચ્ચે ખૂબ જ ઝઘડો થતો હતો.
જ્યારે જ્યારે ઝઘડો ખૂબ જ આગળ વધી જતો ત્યારે ગોપાલ નામનો આ દિકરો તેના માતા-પિતાને જહેર આપીને મારી નાખવાની વાતચીતો પણ કરવા લાગ્યો હતો, માતા પિતાએ વિચાર્યું કે, અમારો આ દીકરો કંઈક ઊંધું પગલું ભરી લે એ પહેલા તેને સમજાવો ખૂબ જ જરૂરી છે..
એટલા માટે તેઓએ પરિવારના મોભી સભ્યો સાથે ગોપાલની વાતચીત શરૂ કરાવી હતી અને સમજાવવાની કોશિશ કરી પરંતુ ગોપાલની સંગત ગામના અન્ય કાળા કારનામા કરનારા લોકો સાથે થઈ ગઈ હોવાથી તે કોઈની વાત સમજવા માટે તૈયાર હતો નહીં. અને માતા પિતાને પણ મોતને ઘાટ ઉતારવાની વાતો કરવા લાગ્યો હતો.
ધીમે ધીમે ગોપાલની આ ઘટના સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ હતી. આ ઉપરાંત તેમના સમાજમાં પણ તારાચંદ રાજપૂત અને મમતા રાજપુત નામના બંને પતિ પત્નીની ખૂબ જ બદનામી થતી હતી. કારણ કે તેમનો એકનો એક દીકરો ગોપાલ ખૂબ જ ઊંધા રવાડે ચડી ગયો હતો. અને ગામના અન્ય લોકોને હેરાન પરેશાન કરતો હતો..
લોકોનું કહેવું હતું કે, પોતાના એકને એક દીકરાને પણ તેઓ સંભાળી શક્યા નથી. તો તેમની પાસેથી શું આશા રાખી શકાય લોકોના મહેણા સાંભળીને તારાચંદ રાજપૂત અને મમતા રાજપૂત ખૂબ જ કંટાળી ગયા હતા. અને એક દિવસ તેઓએ વિચાર્યું કે, આ મારો દીકરો અમને મોતને ઘાટ ઉતારી નાખે એ પહેલા અમેજ ઝેરના ટુકડા પીને અમારો રસ્તો કાઢી લઈશું..
તેઓ એક દિવસ એક જ સાથે કરી લીધો હતો. ત્યારે બંનેની તબિયત પથડવા લાગી ત્યારે તેઓને ઈન્દોરની એક હોસ્પિટલમાં સારવાર માટે સાંજના સમયે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ મૃત્યુ પામ્યા એ પહેલા પહેલા જ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો તેમને મારવા માંગતો હતો..
પરંતુ તેમના દીકરાએ સમાજમાં તેમની ઈજ્જત ઉતારી નાખી હતી. અને હવે જીવવા માટે કશું જ બાકી રહ્યું નથી, એટલા માટે પતિ અને પત્ની બંને આપઘાત કરીને જીવંન ટૂંકાવી દીધું છે. પોલીસે આ ઘટનાનો કેસ નોંધ્યો છે. અને જરૂરી તપાસ પણ શરૂ કરી દીધી છે. ગોપાલ રાજપૂત નામના યુવક હાલ ફરાર થઈ ગયો છે.
પોલીસની શોધખોળ કરી રહી છે. આવા કપાતર દીકરાને કારણે કેટલાય મા-બાપને ખૂબ જ ભલું બુરું સહન કરવું પડી રહ્યું છે. હાલ આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આખરે આ કેવો દીકરો છે કે જેને પોતાના જ માં-બાપની પડી નથી. આ સાથે સાથે તેમના અંતિમ સંસ્કારમાં પણ આવ્યો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]