22 જૂનથી આદ્રા નક્ષત્ર શરૂ થયું હતું. આ નક્ષત્રની અંદર વાવણી કરવામાં આવતી હોય છે. કારણ કે આ નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદ વરસે છે. પરંતુ હવે આ નક્ષત્ર વિરામ લેવા જઈ રહ્યું છે. એટલે કે આવનારા એક થી બે દિવસની અંદર આદ્રા નક્ષત્ર પૂર્ણ થાય છે. અને પુનર્વસુ નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે..
આદ્રા નક્ષત્ર જતાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વાવાઝોડા અને વિનાશકપુર સર્જાઈ તેવી આશકાઓ સાથે હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભૂરાભાઈ હડમતીયા તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આદ્રા નક્ષત્ર પૂર્ણ થતાની સાથે જ પુનર્વસુ નક્ષત્ર શરૂ થાય છે. અને આ નક્ષત્રની અંદર ખૂબ ભારે પવન ફૂંકાવા લાગે છે..
આ ઉપરાંત અસહ્ય બફારો પણ થાય છે. આ સાથે સાથે સામાન્યથી નહીંવત વરસાદ વરસે છે. પરંતુ આદ્રા નક્ષત્ર પૂર્ણ થતી એ પહેલા સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર, પોરબંદર તેમજ મોરબીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે.
તેઓની આગાહીને પગલે ગઈકાલે મહુવા પંથકમાં બે ઇંચ તળાજામાં એક ઇંચ ઉપરાંત ચરોતરના આણંદ અને ખેડામાં ચાર ઇંચ સુધીનો વરસાદ તેમજ જામનગરના હાલારમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરના બોટાદ તાલુકામાં પણ બપોરના સમયે બે ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.
જ્યારે ગઢડા તાલુકામાં બે ઇંચ વરસાદ માત્ર બે કલાકની અંદર વરસતા ખેડૂતો રાજીના રેડ થયા છે. આદ્રા નક્ષત્ર જતા જતા ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. જેને પગલે હવામાન વિભાગે આગાહી આપ્યા બાદ વહીવટી તંત્ર ખૂબ જ સજ્જ થયું છે. અને ભાવનગરમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખી દેવામાં આવી છે.
આ સાથે જ રાહત બચાવવાની તમામ સાધન સામગ્રીને પણ ભાવનગર લાવી દેવામાં આવી છે. આ સાથે ફાયર બ્રિગેડને પણ એલર્ટ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળા જણાવ્યું છે કે, આવનારા બે દિવસની અંદર અંતર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સાથે..
કચ્છના તાલુકાઓમાં પણ અતિ ભારે થી વિનાશક પૂર સર્જે તેવો તોફાની પવન સાથે વરસાદ વરસશે. જેમાં સુરત, નવસારી, વલસાડ અને જામનગર તેમજ રાજકોટમાં અતિ ભારે વરસાદને પગલે ભારે ઓરેંજ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વરસાદી આફત શહેરમાં આવનારા બે દિવસની અંદર આવી પહોંચશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]