Breaking News

કચ્છમાં લો પ્રેશર સર્જાતા આ વિસ્તારો ભારે વરસાદની અણી એ, આ તાલુકાઓ બનશે વિનાશક પુરના ભોગ, વાંચો મોટી આગાહી..!

ગુજરાતના જુદા જુદા વિચારોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ રેડ એલર્ટ જિલ્લાઓ જેવા કે ગીર સોમનાથ, જામનગર, કચ્છ, સુરત, વલસાડ અને નવસારીમાં તો ભયંકર વરસાદ વરસવાને કારણે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. તેમજ ડેમ પણ ઓવરફલો થયા છે. અને હવે હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છ જિલ્લા ઉપર લો પ્રેશરની અસર સર્જાઈ છે..

જેના કારણે હજુ પણ આવનારા પાંચ દિવસમાં અતિ ભારે વરસાદ વરસવા જઈ રહ્યું છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે તમામ જિલ્લાઓની અંદર ચોમાસુ ખૂબ જ તીવ્રતાથી એક્ટિવ થવા જઈ રહ્યું છે. જેને પગલે ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસશે.

અત્રે નોંધનીય છે કે ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા, માંગરોળ, કોડીનાર, વેરાવળ સહિતના ગામોમાં ભયંકર વરસાદ થયો હતો જેને પગલે ખૂબ જ વધારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. હવામાન વિભાગની નવી આગાહીને પગલે પોરબંદરના દરિયા કિનારામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે બે દિવસથી વરસાદી માહોલની વચ્ચે દરિયો તોફાની બનતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે..

જ્યારે હવામાન વિભાગ એ માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચના આપી દેતા માછીમારોએ પોતાની બોટ દરિયા કાંઠે લંગર કરી દીધી છે. પોરબંદર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં આજે દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લામાં પણ SDRFની ટીમને મોકલી આપવામાં આવી છે. જ્યારે આધુનિક સાધનો સાથે ટીમના 60 જેટલા જવાનો રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ છેલ્લા 24 કલાકની તો કુલ 154 તાલુકાઓમાં ભારે થી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધારે સુત્રાપાડામાં 14 ઇંચ..

કોડીનારમાં 8 ઇંચ, વેરાવળમાં 5 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, ભુજમાં 5 ઇંચ, માળીયાહાટીમાં 2 ઇંચ, કેશોદમાં 2 ઇંચ, વાપીમાં 2 ઇંચ અને મહુવામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુત્રાપાડા, માંગરોળ, કોડીનાર, વેરાવળ આ તમામ ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ વરસાદની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી..

અને ગીર સોમનાથ જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ તેમજ પોરબંદર સહિતના રેડ એલર્ટ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિને પગલે રાહત અને બચાવને કામગીરી માટે એસ.ટી.આર.એફ અને એનડીઆરએફની ટીમોને વહેંચણી કરી દેવામાં આવે તેવા આદેશો આપ્યા છે. તેમજ રાજ્યમાં બનતી કોઈપણ હોનારતોને તાત્કાલિક ધોરણે ડામી દેવામાં આવે..અને હાઈ એલર્ટ વિસ્તારોમાં વોર્નિંગના આધારે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે તેવા આદેશો પણ આપ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *