Breaking News

યુદ્ધના માહોલ વચ્ચે કચ્છની આ દીકરીએ કરી બતાવ્યું સાહસિક કામ, પ્લેન ઉડાડીને 242 ભારતીયોને લાવી વતન.. વાંચો..!

અત્યારે રશિયા યૂક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ તમામ હદોને પાર કરી ચૂક્યું છે. તેમજ આ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુક્રેનમાં 20 હાજર ભારતીયો વસવાટ કરતા હતા. તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને યુદ્ધ થતાની સાથે જ સુરક્ષિત જગ્યાએ જવા માટે ભારતીય એમ્બેસી જાણ કરી હતી..

તેમજ યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકોને ભારત સરકાર ઓપરેશન ગંગા હેઠળ ભારતથી પ્લેન મોકલીને બચાવી રહી છે. ભારતના શૂરવીર પાયલોટો પ્લેન લઈને યુક્રેન તેમજ તેની આસપાસના દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે જાય છે. તેમજ આખી ફ્લાઈટ ફરીને ભારતીય વિદ્યાર્થીઓને પોતાના વતન પરત લાવે છે.

આવા સમયની વચ્ચે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. કારણકે દરેક ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારતથી ઉપડેલી ફ્લાઈટના પાયલોટ એક ગુજરાતી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં મોટી તુંબડી ગામમાં રહેતા લીનાબેન જયેશભાઈ ગડાની દીકરી દિશા ગડા આ પ્લેન ઉડાડીને યુક્રેનના કિવ શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લેવા માટે નીકળી પડી હતી..

પરંતુ તે યુક્રેન પહોંચે એના થોડા સમય પહેલાં જ શહેરમાં ભયંકર હુમલાઓ અને મિસાઈલો છોડવામાં આવી હતી. જેના પગલે દિશા ગડાને પાઈલોટ ની ટીમે જણાવ્યું હતું કે, પ્લેનને અન્ય કોઇ જગ્યાએ લેન્ડ કરવું પડશે. કારણ કે કિવમાં ભયાનક હુમલો ચાલુ થઈ ગયા છે. એટલા માટે તેણે સિનિયર ના માર્ગદર્શન નીચે ખૂબ જ ઓછી જગ્યામાં પ્લેનને લેન્ડ કર્યું હતું..

અને પ્લેનમાં 242 વિદ્યાર્થીઓને લઈને કચ્છની આ દીકરી મુંબઈ આવી હતી. ભારતના દરેક કપરા સમયમાં સાપના નાગરિકોને ભારતની ધરતી ક્યારેય પણ નહીં ભૂલે. કચ્છના દીકરીએ શૂરવીરતા દાખવીને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી-સલામત વતન લાવી છે. એ બદલ સૌ કોઈ લોકો દિશાના માતા પિતા એટલે કે લીનાબેન અને જયેશભાઈને ખૂબ જ અભિનંદન આપી રહ્યા છે.

તેમજ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કે તેઓને દીકરી ના પ્રતાપે આજે 242 વિદ્યાર્થીઓ સહીસલામત પોતાના ઘરે પહોંચી શક્યા છે. ખરેખર હજી પણ ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ભારત સરકાર તેઓને પોલેન્ડના રસ્તેથી બોર્ડર ક્રોસ કરાવીને વતન પરત લાવવા માટે માથામણ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *