દિન પ્રતિ દિન લોકોને ભોળવીને તેમની સાથે તાંત્રિક વિધિના નામે ખોટા કામ કરનાર લોકોની હિંમત ખૂબ જ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લે એક મહિનાની અંદર અંદર અંદાજે 10 થી 12 કિસ્સા એવા બની ગયા છે કે, જેમાં તાંત્રિક વિધિના નામે જે તે પરિવારજનોને ખૂબ જ માઠું સહન કરવાનો વારો આવતો હોય છે.
તો કેટલીક વખત તો જે તે વ્યક્તિના મૃત્યુ થવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. અત્યારે વધુ એક મામલો રાજસ્થાનના અજમેર જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં જયપુર જિલ્લાના જોબનેર વિસ્તારમાં રહેતા અનિલ શર્મા નામના તાંત્રિકની કાળી કરતુતોનો પરદાફાશ થઈ ગયો છે..
અનિલ શર્મા નામના તાંત્રિકે ગાંધીનગર વિસ્તારમાં એક પરિવારને પોતાની કાલી ઘેલી ભાષામાં ફોસલાવીને તેમને તાંત્રિક વિધિ કરાવવા માટે મજબૂર કરી દીધો હતો. અને આ વિધિ ને લઈ તે પરિવારના ઘરે પણ આવી પહોંચ્યો, જ્યાં પરિવારના જમાઈને કહ્યું હતું કે, તારા સસરા ઉપર ખૂબ જ મોટું જોખમ છે..
તેને દૂર કરવા માટે તમારે તાંત્રિકની પદ્ધતિથી તેની સારવાર કરવી પડશે નહીં તો તમારો પરિવાર બરબાદ થઈ જવા પામશે. તાંત્રિક ના મોઢેથી આ શબ્દો સાંભળીને જમાઈ ખૂબ જ હચમચી ગયો હતો. અને તે તમામ તાંત્રિક વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયો હતો. પરિવારનો જમાઈ પહેલેથી જ ઘણી બધી સમસ્યાનો સામનો કરતો હતો..
એટલા માટે તેણે કોઈપણ પ્રશ્નો પૂછ્યા નહીં અને તાંત્રિકની વાતોમાં આવી ગયો હતો. તાંત્રિક અનિલ શર્માએ તેની પાસેથી થોડીક ચીજ વસ્તુઓ મંગાવી હતી અને ઘરે જ તાંત્રિક પ્રક્રિયા શરૂ કરી દીધી. જેમાં 11:00 વાગ્યા આસપાસ તાંત્રિક વિધિ પૂર્ણ કરીને ઘરના પુરુષ લોકોને પુશ્કર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા..
અને જણાવ્યું કે તમે લોકો પુષ્કર જઈને આવશો એટલે આ વિધિ પૂર્ણ થઇ જશે. જ્યારે તેઓ પુષ્કર ગયા ત્યારે ઘરે માત્ર તેમની જુવાન દીકરી હાજર હતી. તાંત્રિકે તેના ઉપર દાનત બગાડીને તેને જણાવ્યું હતું કે, તારા ઉપર પણ કાળો પડછાયો છે. પરિવારના સભ્યોની મંજૂરી લઈ તેના ઉપર પણ તાંત્રિક વિધિ શરૂ કરાવી દેવામાં આવી હતી..
ઘરે માત્ર જુવાન દીકરી અને તાંત્રિક બંને હાજર હતા. એવામાં તેણે સગીર યુવતીને ધમકાવીને તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. તાંત્રિક એક પણ મારા પરિવારના અન્ય સભ્યોનો વિચાર કર્યો નહીં, આ ઉપરાંત યુવતીની જિંદગી ખરાબ થઈ જશે તેવું કશું જ વિચાર્યું નહીં અને તેના પર તૂટી પડ્યો હતો અને તેને પિંખી નાખી હતી..
જ્યારે સવારના સમયે પરિવારના અન્ય પુરુષો ઘરે આવ્યા ત્યારે તાંત્રિકે તેમની પાસેથી વિધિ કરવાના નામે ₹3,000 પણ લીધા હતા. તાંત્રિકે સગીર ઉંમરની યુવતીને ધાક ધમકીઓ આપી હતી અને જાનથી મારી નાખવાની વાતો પણ કહી હતી. એટલા માટે તે શરૂઆતમાં તો ચૂપ રહી પરંતુ બે દિવસ બાદ યુવતીએ પોતાની મોટી બહેનને પોતા ઉપર થયેલી ઘટના જણાવી હતી..
ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોને પણ આ બાબતની જાણકારી આપી દેવામાં આવી જ્યારે આ માહિતીનો ખુલાસો થયો ત્યારે પરિવાર જોતો ને જોતો જ રહી ગયો હતો કે, તેમની આ વિધિ કરાવવાની પ્રક્રિયામાં તેમની બાળકી ઉપર .દુ.ષ્ક.ર્મ. થઈ ગયું છે. તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી અને આ તાંત્રિક સામે ગુનો નોંધાવ્યો હતો..
પોલીસે પણ એક ટીમ બનાવીને આ તાંત્રિકનો અતો પતો શરૂ કર્યો હતો. જેમાં ટૂંકી તલાશી બાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ તેની પૂછપરછ કરીને તેને જેલ ભેગુ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે..
એક બાજુ ડિજિટલ જમાનામાં લોકો ખૂબ જ વધારે પ્રગતિ કરી રહ્યા છે. તો એક બાજુ ક્યાંક ને ક્યાંક આવા વહેમ અને તાંત્રિક વિધિઓમાં વિશ્વાસ કરવાને કારણે કેટલાય પરિવારો બરબાદ પણ થતા હોય છે. થોડા દિવસ પહેલા જ માત્ર 14 વર્ષની એક દીકરીને પોતાના સગા પિતા અને પોતાના સગા બાપુજીએ તાંત્રિક વિધિના નામે ખેતરમાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હજુ આ ઘટનાના પડઘા થ્મ્યા નથી એવા માં તો વધુ એક ઘટના સામે આવી જતા એકાએક અરેરાટી ફેલાઈ ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]