પોતાના લગ્ન બાદ પ્રેમમાં પડતો વ્યક્તિ પોતાના સુખી પરિવારને વેરવિખેર કરી નાખતો હોય છે. હાલમાં દરેક વ્યક્તિ કામ ધંધા અર્થે આખો દિવસ ઘરની બહાર રહેતો હોય છે. ત્યારે ઘણીવાર તેમની સાથે કામ કરતી યુવતી સાથે તેને પ્રેમ થઈ જતો હોય છે. અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
હાલમાં વારાણસી શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ લગ્નના 19 વર્ષ બાદ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડીને પોતાનો સુખી પરિવાર બરબાદ કરી નાખ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાના કમરપુર ગામના તાકેશ્વર મુરાદાબાદથઈ અને તેનો પરિવાર શાંતિથી રહેતા હતા.
તાકેશ્વર પોતાના ઘરથી 109 કિલોમીટર દૂર ટેવા એપીઆઇમાં નોકરી કરવા માટે જતો હતો. આજથી 19 વર્ષ પહેલા તાકેશ્વરના લગ્ન ગુંજા મિશ્રા નામની મહિલા સાથે થયા હતા. હાલમાં તેઓને બે દીકરીઓ પણ છે. પરંતુ 6 મહિના પહેલા બોરહવા ગામની સુહાની તાકેશ્વરના ઘરની બાજુમાં પોતાના સગાસંબંધીના ઘરે રહેવા માટે આવી હતી.
ત્યારે તે બંનેની મુલાકાત થઈ હતી. સુહાની અને તાકેશ્વર વચ્ચે ધીમે ધીમે વાતચીત વધતી ગઈ હતી. તેમજ એકબીજાના ઘરે અવરજવર વધતા પરિવારજનોને આ અંગે શંકા થવા લાગી હતી. તાકેશ્વરની પત્ની ગુંજાને આ બાબતની જાણ થતા તેણે આ બાબતનો વિરોધ કર્યો હતો. બે મહિના પહેલા તાકેશ્વર ઘર બનાવવા અને પત્નીની સારવારનું બહાનું કાઢીને ઓફિસએથી રજા લઈને ઘરે આવ્યો હતો.
આ ઉપરાંત તે સુહાની ને નિયમિતપણે પૈસાની પણ મદદ કરતો હતો. જેથી ગુંજા વારંવાર તેનો વિરોધ કરતી હતી. જે તાકેશ્વરને બિલકુલ પણ પસંદ ન હતું. તેથી થોડા દિવસ પહેલા ગુંજા અને તાકેશ્વર સુતા હતા. ત્યારે તાકેશ્વરએ સુહાની ની મદદથી ગુંજા ને માથામાં ઈંટ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ત્યારબાદ તે બંને ઘર છોડીને ભાગી ગયા હતા. સવારે જ્યારે ગુંજા અને તાકેશ્વર બેમાંથી કોઈ પણ રૂમની બહાર નીકળ્યા ત્યારે પરિવારજનોને શંકા ગઈ હતી. એમણે દરવાજો ખોલતા ગુંજા લોહી લુહાણ હાલતમાં ત્યાં પડી હતી. તેમણે ગુંજા ને માતા-પિતાને આ બાબતની જાણ કરી હતી.
આ ઉપરાંત ગુંજાનું અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ વારાણસી પોલીસ સ્ટેશનમાં તાકેશ્વર અને સુહાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે બંને વારાણસી છોડીને ભાગે તે પહેલા જ વારાણસી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસએ બંને આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે. તેમજ ગુંજાના મૃતદેહને પોસ્ટમાર્ટમ મોકલવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]