વ્યવહારમાં કેટલાક સંબંધો આટલા નાજુક હોય છે કે તે તૂટતા વાર નથી લાગતી. જ્યારે ઘણા સંબંધો એટલા બધા ગાઢ હોય છે. કે તેને તોડવાની કોઈ લાખ કોશિશ કરવા છતાં પણ તે તૂટતાં નથી. ઘરના અને નજીકના જ લોકો એકબીજાના પ્રેમમાં પડી ને ઘરના સભ્યોને હેરાનગતિ આપવાના કેશો મા સતત વધારો થઈ રહ્યો છે..
અમદાવાદમાં ડ્રાય ફુટ વેપારીના ઘરે એવો કિસ્સો બન્યો છે કે જે વાંચીને સૌની નજર ફાટી જશે. હકીકતમાં આ ડ્રાયફ્રુટ વેપારીને બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરી ના લગ્ન થઈ ચૂક્યા છે. અને તે પોતાના પતિ સાથે વડોદરામાં રહે છે. જ્યારે તેની નાની દીકરી એમ.એસ.યુનિવર્સિટીમાં mca નો અભ્યાસ કરે છે.
અને તે પોતાની મોટી બહેનની સાથે જ રહે છે. બંને બહેનો એક જ સાથે રહે છે. તેથી નાની બહેન તેના જીજાજી સાથે અવારનવાર મસ્તી મજાક કરતી હતી. ત્યારે તેઓનું વર્તન સામાન્ય દેખાતું હતું. પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેમ સાળી અને જીજાજી ના સબંધ મસ્તી ભર્યા ન લાગવાને બદલે શરમજનક લાગવા લાગ્યા હતા.
આ બાબતની જાણ યુવતીની મોટી બહેનને થતાં તેણે તરત જ તેની માતાને આ વાતની જાણ કરી દીધી હતી. તેમજ તેની નાની બહેન ને ઘરની બહાર જવાની પણ ના પાડી દીધી હતી. અને બધી બાજુથી કડક નિયમો માં રાખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તે યુવતી જીજાજી સાથે પ્રેમ ભર્યા સંબંધો ની ઉજવણી કરવાનું છોડ્યો જ નહોતું.
પછી તો તેઓ એવી હરકતો કરવા લાગ્યા હતા કે જેની ન પૂછો વાત.. તેથી તેની મોટી બહેને તેને સમજાવી, તો તેને ધમકી આપીને ઘર છોડીને જતી રહેતી હતી. તેના લીધે પરિવાર સતત ચિંતામાં રહેતો હતો. જેથી પરિવારે હેલ્પલાઇન અને મનોચિકિત્સકની મદદ લઈને યુવતીનું કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું..
યુવતીને વારંવાર સમજાવવામાં આવતી હતી કે લગ્ન એવા યુવક સાથે કરાય કે જેથી કોઈનું ઘર ન ભાંગે અને બંને બાજુ નો પ્રેમ જળવાઈ રહે. પરંતુ તે યુવતી પોતાના જીજાજી સાથે લગ્ન કરવાની જીદ્દ પર અડગ હતી.
પોતાની જ નાની બહેન જે રસ્તા પર હતી તે રસ્તા પર આગળ જતા બંનેના પરિવારની જિંદગી ખરાબ થશે તે ચોક્કસ હતું. પરંતુ તે એકની બે થતી નહોતી અને પોતાના જીજાજી સાથે પ્રેમ ભર્યા મેસેજ પણ કરવા લાગી હતી. જે વાંચીને તેની મોટી બહેન આઘાત માં ચાલી ગઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]