ઘણી બધી વખત આપણે આપણા મિત્રો દ્વારા અથવા તો સગા સંબંધીઓ દ્વારા સાંભળ્યું હોય છે કે એકબીજાને પ્રેમ કરતા હોય છે.અને એકબીજાને લગ્ન ન કરવા દે તો તેના લીધે કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.અને મૃત્યુ પણ થતું હોય છે તો ઘણી બધી વખત વ્યક્તિના આડા હાથે સંબંધ હોવાને કારણે પણ એકબીજાના મૃત્યુ થતા હોય છે.
પરણેલા વ્યક્તિ અથવા તો પરણેલી સ્ત્રીઓ પણ બીજા સાથે આડા સંબંધ રાખતા હોય છે. જેને જાણ પોતાના પતિ અથવા તો પત્નીને થાય એટલે ઝઘડો થતો હોય છે.અને તેમાંથી એકબીજાના મૃત્યુ થતા હોય છે.આવા બનાવો તો ગત દિવસમાં ઘણા બધા બન્યા છે.જ્યારે ફરી એક વખત આવો જ બનાવો ગત દિવસમાં શિવવિહારમાં એક બનેવીએ તેની સાળી સાથે કર્યો હતો.
આ યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં જ થયા હતા અને તેવું પણ કહેવામાં આવે છે. કે લગ્ન પહેલા આ યુવતીના તેના જીજાજી સાથે આડા સંબંધો હતા.પરંતુ લગ્ન બાદ યુવતીએ આ સંબંધોનો અંત લાવવાનો વિચાર્યું પણ તેના બનેવીને આ વાત પસંદ ન હતી અને તેનાથી જરા પણ ખુશ ન હતો.અને તે વારંવાર તેના પર આ સંબંધ હજુ આગળ વધારવા માટે દબાણ કરતો હતો.
પરંતુ યુવતીએ કંટાળીને સ્પષ્ટપણે ના પાડી દીધી ત્યારે જીજાજીને આવાત જરા પસંદ ન આવી અને વાત સહન ન થઈ તેને યુવતીને ફોન કરીને એક વખત છેલ્લી વાર મળવા માટે બોલાવી. જ્યારે યુવતી ત્યાં પહોંચી તો તેના હાથ પગ બાંધી દીધા અને તેને માર મારીને ગળું દબાવીને મોતના ઘાટે ઉતારી દેવામાં આવી તેની આગળ છુપાવવા માટે શરીર ઉપર એસિડ પણ રેડ્યું હતું.
આ યુવતીનો મૃતદેહ ખેતરમાં મળી આવ્યો હતો.આ મામલો તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મઠ મસૌલી ગામનો છે.મૃતકનું નામ રિંકી દેવી છે.લોકોએ જણાવ્યું કે, આ હત્યા ગેરકાયદેસર સંબંધમાં કરવામાં આવી છે. ધરમપુર ગામના રહેવાસી રિંકીના પિતા હરેન્દ્ર રાયે તારિયાની પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
તેણે પોતાના મોટા જમાઈ રિતેશ રાયનું નામ ફરિયાદમાં લખાવ્યું છે, જે પૂર્વ ચંપારણ જિલ્લાના રાજેપુર તેતરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફાજિલપુરનો રહેવાસી છે.પિતાએ કહ્યું છે કે તેમની પુત્રી ચાર મેની રાત્રી થી ગુમ થઈ ગયેલ છે. વાસ્તવમાં રિંકી તેના પતિ જીતેન્દ્ર રાય અને તેની માતા સાથે ગામના પરેશરાયની પુત્રીના લગ્નમાં આવી હતી.
રિંકી ઘરમાં એકલી હતી ત્યારે તેના બનેવી આવ્યા શનિવારે રાત્રે જ્યારે પરિવાર ઘરે પરત આવ્યા.ત્યારે ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતું.અને બંને ઘરમાં થી ગાયબ હતા એ પછી ઘણી બધી જગ્યાઓએ તેની શોધખોળ કરવામાં આવી પરંતુ તે ના મળી. આખરે પોલીસમાં અરજી કરાય જ્યારે પોલીસે છાનમિનની હાથ ધરી ત્યારે મકાઈના ખેતરમાં એક મહિલાની લાશ પડી હતી..
જ્યાં તે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મહિલાની લાશ જોઈને પરિવાર લોકો પહોંચી ગયા જે બાદ લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી.અને તરત જ આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે હજુ પણ આગળ કાર્યવાહી કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]