ટીવી સીરીયલ તારક મહેતાના લોક ચહિતા કલાકાર જેઠાલાલને દુનિયાના ખૂણે ખૂણે થી લોકો ઓળખે છે. જેઠાલાલે જબરજસ્ત એક્ટિંગ કરીને લોકોના દિલમાં તેમનું સ્થાન વસાવી લીધુ છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને રિત્વિક જોશી અને નિયતિ જોશી એમ બે બાળકો છે.
જેઠાલાલની દીકરી નિયતિ હવે લગ્નજીવનમાં જોડાવા જી રહી છે. જેઠાલાલે જણાવ્યું છે કે તેમની દીકરી નિયતિ જોશીના લગ્ન 11 ડિસેમ્બરે યોજાવાના છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે નિયતિ જોશીના લગ્ન એક એક NRI યુવક સાથે લગ્ન થવાના છે.
દિલીપ જોશી એટલે કે જેઠાલાલની દીકરી નિયતિ એક બુક પબ્લિશિંગ કંપની સાથે સંકળાયેલી છે. એટલે કે બુક ઇન્ડસ્ટ્રીમાં તેમનું કામકાજ રહેલું છે. તેના લગ્નનું આયોજન 11 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. આ આયોજનમાં જેઠાલાલ પોતે નાની થી લઈને મોટી બાબતો સુધી દરેક વસ્તુની સારી રીતે જાણ રાખશે.
કેમકે જેઠાલાલે ભારતીય સિનેમા તેમજ ટીવી સીરીયલમાં લાંબા સમયથી કામ કરતા આવે છે એટલે તેઓના ઘરના પ્રસંગમાં હીરો હિરોઈનોની લાઈન લાગશે એ પાકી વાત છે. મોટા મોટા એકટર અને અર્તીસ્ટો પધારવાના હોવાથી તેમને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
આ લગ્ન કોઇ ગ્રાન્ડ વેડિંગથી ઓછા નહીં હોય. મુંબઇની તાજ હોટલમાં આ સમારોહ યોજાશે અને દિલીપ જોશી પોતે જ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. આ કાર્યક્રમમાં બબીતા અને બાપુજીની સાથે સાથે તારક મહેતાની ટીમ પણ જોઈન થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જેઠાલાલથી લઈને બબિતા સુધીના દરેક પાત્રો દર્શકો ફેવરિટ છે. તેમાંથી સૌથી વધારે ગમતું કોઈ પાત્ર હોય તો તે છે જેઠાલાલ. જેઠાલાલનુ રિયલ નામ દિલીપ જોશી છે અને સીરિયલના તેઓ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે.
દિલીપ જોશી લાકડી દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના છે. મુંબઈની એક જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં ફંક્શન યોજાવવાનું છે. જેમાં દિશા વાકાણી સહિત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમને આમંત્રિત કરવામાં આવી છે. અન્ય કો-એક્ટર્સ તો ઉપસ્થિત રહેશે પરંતુ દિશા વાકાણી લગ્નમાં હાજરી આપવાની નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]