Breaking News

જેલના કેદીએ સાથીદાર પાસે પહેરવા માટે મંગાવેલા ચપ્પલમાંથી નીકળી એવી વસ્તુ કે જેલર સહીતના અધિકારીઓ ડોળા ફાડી ગયા..!

આધુનિકમાં સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે તેઓ ટીવીમાં કે ફોનમાં સિરિયલો અને ફિલ્મો જોઈને તેમની નકલ કરી રહ્યા છે. સીરીયલ અને ફિલ્મોમાં જેવી રીતે એક્ટિંગ કરીને લોકોને મનોરંજન કરાવવામાં આવે છે તેવું લોકો પોતાની રીયલ લાઇફમાં અનુકરણ કરીને ગંભીર દુર્ઘટનાઓ કરી રહ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સીતામઢી જેલમાં બની હતી. જેમાં એક કેદીએ જેલમાં ચોકાવનારી ઘટના કરી કરી નાખી હતી. સીતામઢી જેલમાં બલ્હિન ગામના રહેવાસી હસ્યા મન્સૂરીનો પુત્ર મોહમ્મદ ઘણા સમયથી કેદ હતો. મોહમ્મદ નો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેના કારણે તેમને વારંવાર કોર્ટમાં લઈ જવામાં અને લાવવામાં આવતો હતો.

એક દિવસ મોહમ્મદ એ કોર્ટમાં આવેલા તેમના સાથીદારો પાસે કોઈ વસ્તુ મંગાવી હતી જેના કારણે સાથીદારો સ્લીપર ચંપલ તેમના માટે લાવ્યા હતા. આ ચપ્પલ પહેરીને મહોમ્મદ કેદી જેલ જવા રવાના થયો હતો અને કોર્ટમાં હાજર થયા બાદ તેને જેલમાં પરત લાવવામાં આવી રહ્યો હતો. તે સમયે જેલની બહાર તેનું મેટલ ડિટેક્ટર વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તે સમયે તેના ચપ્પલ પાસે અવાજ આવી રહ્યો હતો જેના કારણે જેલના કર્મચારીઓએ મહોમ્મદના ચપલને ચેક કર્યા હતા. તે સમયે ચપ્પલને કાપતા જ એવી વાત સામે આવી હતી કે જે જોતા જ દરેક લોકો ચોકી ગયા હતા. ચપ્પલમાંથી બે બટન વાળા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ જોઇને જેલમાં શોકનો માહોલ થઇ ગયો.

જેના કારણે જેલના મુખ્ય મનોજકુમારને આ વાત જણાવવામાં આવી હતી. તેમણે ડુંગરા પોલીસ સ્ટેશનમાં આ કેદી સામે એફઆઇઆર નોંધાવી હતી અને મોહમ્મદ ને તમામ પૂછપરછ કરી હતી. જેલમાં પણ તેમને પોતાના સાથીદાર નો સાથ લઈને આવી ચીટીંગ કરી હતી. જેના કારણે તેના પર વધુ એક આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ જોઈને જેલના દરેક નિયમો પણ કરી નાખવામાં આવ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અને કેદીઓને આપવામાં આવતી વિવિધ પ્રકારની છૂટછાટને કારણે તેઓ તેનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે. પોલીસ મહંમદની પૂછપરછ કરી રહી હતી. લોકો આજકાલ પોતાના મગજની અવનવી તરકીબો વાપરીને આવા ખોટા કામો કરી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *