આ વર્ષે કપાસના ભાવ હંમેશા ઊંચા રહ્યા છે. જ્યારે કપાસની આવક દરેક માર્કેટયાર્ડોમાં શરૂ થઈ હતી. એ વખતે કપાસના ભાવ 1400 થી લઇને 1600 રૂપિયા સુધી બોલાયા હતા. પરંતુ ધીમેધીમે આ ભાવ વધતાની સાથે કપાસના ભાવ 1900 થી 2000 રૂપિયાને પાર થઈ ગયા હતા..
અને હવે જેમ જેમ કપાસની સીઝન પુરી થવા આવી છે. તેમ તેમ ભાવમાં રોજ વધારો થતાની સાથે હાલ ભાવ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયા છે. વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસનગર માર્કેટીંગ યાર્ડની તો આ માર્કેટ યાર્ડના કપાસના ભાવ સમગ્ર ગુજરાતના દરેક ખેતીવાડી માર્કેટિંગ બજાર કરતાં ખૂબ ઊંચા બોલાયા છે..
જ્યારે સૌથી વધુ કપાસની આવક બોટાદ જિલ્લાના યાર્ડમાંથી થઈ છે. બોટાદ માર્કેટીંગ યાર્ડમાં આશરે 30 હજાર મણ કપાસની આવક થઇ છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આશરે 20 હજાર મણ કપાસની આવક થઇ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસના નીચા ભાવ 1800 રૂપિયા બોલાવ્યા છે..
જ્યારે ઊંચા ભાવ 2700 રુપિયા બોલાયા છે. વીસનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસ ના ભાવ 3000ને પાર થઇ ગયા છે. જે આ વર્ષના સૌથી સારા માં સારા ભાવ છે. મોટાભાગના ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું ઉતારો ખૂબ જ ઓછો થયો છે. પરંતુ ભાવ ખૂબ જ સારા મળ્યા છે.
એટલા માટે આવકમાં કોઈ લાંબોટુકો ફેરફાર જણાયો નથી. હાલ સમગ્ર વિશ્વમાં કપાસની ખૂબ મોટી માંગ રહેલી છે.. અમેરિકા, ભારત તેમજ ચીન જેવા દેશોમાંથી કપાસની મોટા ભાગની આવક સમગ્ર વિશ્વમાં જતી હોય છે. પરંતુ હાલ દરેક જગ્યા પર ઉત્પાદન ઘટી જતાં કપાસની ડિમાન્ડ વર્ષો વર્ષ સુધી રહેશે. તેવું જાણવા મળ્યું છે.
અમરેલીમાં 1800 થી 2600 રૂપિયા, સાવરકુંડલામાં 1800 થી 2500 રૂપિયા, જસદણમાં 1800 થી 2000 રુપીયા.. ગોંડલમાં 2000 રૂપિયાથી 2500 રૂપિયા, બાબરામાં 1600 થી 2600 રૂપિયા, તળાજામાં 1400 થી 2500 રૂપિયા, ગઢડામાં 1800 થી 2400 રૂપિયાની સાથે સાથે દરેક જિલ્લાઓના માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીના કપાસના ભાવ બોલાયા છે.
હાલ સારી ક્વોલિટીની કપાસની માંગ વધારે છે.. કારણકે કપાસના પાકને આ વર્ષે ખૂબ સારું વાતાવરણ મળ્યું નથી. અને ગુલાબી ઇયળનો પણ ખૂબ ખતરો જોવા મળ્યો હતો. એટલા માટે સારી ગુણવત્તાવાળા કપાસ ખૂબ ઓછા દેખાયા છે. જેના પગલે ભાવમાં મોટો વધારો થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]