કેટલાક લોકોને બોલાવ્યા પણ સારા નથી. અમુક લુખ્ખા તત્વો દિન પ્રતિ દિન બેફામ બનતા જાય છે. અને મન ફાવે તેમ વર્તન આચારવા લાગે છે. જાહેર જગ્યાએ અને સામાન્ય લોકોનું કોઈ પણ ધ્યાન રાખ્યા વગર પોતાની મનમાનીઓ ચલાવતા એવા ઘણા બધા લોકોને પોલીસ પકડી પડ્યા છે. પરંતુ હજુ પણ ઘણા બધા લોકો શહેરમાં દાદાગીરી રહ્યા છે..
જુનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ખૂબ જ મોટો અણબનાવ બની ગયો છે. ટીંબાવાડી વિસ્તારની અંદર તક્ષશિલા સોસાયટી આવેલી છે. આ સોસાયટીની અંદર દીપેન ભાઈ અનિલભાઈ વાજા નામના વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. એક દિવસ તેમના ઘરની પાછળની બાજુએ અમીન નામનો એક વ્યક્તિ ગાળાગાળી કરતો હતો..
ઘર પાસે આવીને ગાળો બોલવાને કારણે દીપેન અનિલભાઈ ભાજા નામના વ્યક્તિએ અમીનને આવું વર્તન કરવાની ના પાડી હતી. આ ઉપરાંત કહ્યું કે, તમે મહેરબાની કરીને અમારા ઘર પાસેથી દૂર જતા રહો પરંતુ અમે નામના વ્યક્તિના શબ્દો સાંભળીને ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો..
એ સમયે તો તે ઘરની દૂર જતો રહ્યો હતો. પરંતુ રાત્રે 10:00 વાગ્યા આસપાસ ફરી અમીન દીપેન અનિલભાઈ વાજાના ઘર પાસે આવી પહોંચ્યો હતો અને અવાજ કરવા લાગ્યો હતો. જેને લઈને દીપેનભાઈ ફરી એક વખત અમીન સાથે માથાકૂટ કરવા લાગ્યા અને તેને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા…
એવામાં અમીન તેના શખ્સોને સાથે લઈને આવ્યો હતો અને છરી વડે દીપેનભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. તેમજ દીપેનભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચે ત્યાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું..
પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. માત્ર નાની અમથી વાતને લઈને અમીન નામનો આ વ્યક્તિ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે દીપેન ભાઈને છરીના કામ મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. આવા વ્યક્તિઓને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. તો ચર્ચાનો વિષય પણ બની ગયો છે. પોલીસ તંત્ર સામે પણ ખૂબ જ મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો છે..
આવા લોકોને ક્યારે પકડીને બરાબરનો મેથીપાકડવામાં આવશે જેથી કરીને તેઓની અક્કલપણ ઠેકાણે આવી જાય આ બનાવવાની જાણે ડી.વાય.એસપી સહિતના અધિકારીઓને તથા પોલીસનો કાપલો પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવની અંદર બે મહિલાઓની સાથે સાથે કુલ છ યુવકોની પણ સંડોવણી હોવાનું સામે આવી ગયું છે..
પોલીસે જણાવ્યું છે કે, આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવશે. પરંતુ અનિલભાઈ વાજાના એકના એક દીકરા દીપેનભાઈનું મૃત્યુ થતા પરિવારજનો ઉપર ખૂબ જ મોટું દુઃખ આવી પડ્યું છે. નાની નાની બાબતોમાં ગુસ્સે થવાને કારણે આજે અમીન નામના આ લુખ્ખા તત્વોએ એક વ્યક્તિનો જીવ લીધો છે..
આવા વ્યક્તિઓને કોઈ સજા આપવામાં નહીં આવે તો તેઓ બેફામ બનતા જશે અને તેનું પરિણામ શહેરના કોઈ સામાન્ય વ્યક્તિને ભોગવવાનો વારો આવતો હોય છે. તેમજ તેમના પરિવારજનોને પણ દુઃખ સહન કરવું પડે છે. રોજરોજ આ પ્રકારના બનાવો સામે આવવા લાગ્યા છે. જેને લઈને તંત્ર સફાળું બેઠું થયું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]