શહેરમાં અવારનવાર લોકો નાની-નાની વાતમાં બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા છે અને આવા ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને તેઓ બીજા લોકોના જીવ લઈ રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ દર્દનાક બની હતી. ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. પરિવારની એક મહિલાને કારણે તેમના જ પરિવારના એક યુવકે પોતાનો જીવ ગુમાવો પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની તેમના સાસુ-સસરા અને તેમના સંતાનો રહેતા હતા. આ ઘટના અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં બની હતી. જેમાં પરિવાર રાજી ખુશીથી રહેતું હતું પરંતુ પરિવારની મહિલાને તેમની બાજુની સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની તેમના પતિને જાણ થઈ હતી.
અઢી મહિના પહેલા આ વાતની જાણ થતા જ પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પત્નીને પતિએ ઘણીવાર સમજાવી હતી અને પત્નીનો પ્રેમી તેમના જ ઘરની પાસેથી અવારનવાર નીકળતો હતો. જેના કારણે મહિલાનો પતિ તેમના પ્રેમીને જોતા જ ગુસ્સે થતો હતો. બે બાળકો હોવા છતાં મહિલાએ બીજા યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
જેના કારણે પતિએ અઢી મહિના પહેલા બધાની સહમતીથી પતિને છૂટાછેડા આપી દીધા હતા. છૂટાછેડા આપ્યા બાદ પત્ની તેના પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. છતાં પણ પ્રેમી પત્નીના પતિ સાથે અવારનવાર ઝઘડવા આવતો હતો અને તે બંને વચ્ચે બે-ત્રણ વખત ખૂબ જ સારી એવી બોલાચાલી થઈ હતી અને જ ખૂબ જ મોટો ઝઘડો થયો હતો.
પરંતુ આસપાસના લોકોની સમજાવટને કારણે તેઓ માની ગયા હતા પરંતુ એક દિવસ પ્રેમી તેમના કાકાના દીકરા અને મામાના દીકરાને લઈને પતિના ઘર પાસે આવી ગયો હતો અને પતિને બહાર બોલાવીને તેમની સાથે ઝઘડો કર્યો હતો અને પતિને કહ્યું હતું કે ‘તુમ હમારે આંખ સે આંખ ક્યા મિલાતે હો, તુમ હમારે ઘર કી લડકીઓ કે સામને ક્યુ દેખ તે હો’ એવું કહીને તેઓ માર મારવા લાગ્યા હતા.
જેના કારણે પતિનો ભાઈ અને તેમની માતા વચ્ચે આવ્યા હતા તેમને છૂટા પડાવવા માટે બીજો એક યુવક વચ્ચે પડ્યો હતો વચ્ચે પડતાની સાથે યુવકને પ્રેમીએ ચાકુ મારી દીધું હતું. ચાકુ મારતા જ આ યુવક ઢળી પડ્યો હતો. યુવકનું નામ અબ્દુલ કુરેશી હતું. તરત જ ઝઘડાને શાંત કરાવવામાં આવ્યો હતો અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દાખલ કરતા સારવાર દરમિયાન થોડા સમય પછી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અણધારિયા મૃત્યુને કારણે પત્નીના પ્રેમી અને તેમના ભાઈઓ અને પિતા સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં યુવકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ જવાને કારણે તેમના પરિવારજનો આ આઘાત સહન કરી શક્યા નહીં.
પોલીસ આગળની તપાસ કરી રહી હતી. એક મહિલાને કારણે નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને મહિલાએ નિર્દય રીતે પોતાના બંને બાળકોના ભવિષ્યનો વિચાર્યા વગર બીજા વ્યક્તિ સાથે અંગત સંબંધો બાંધીને તેમની સાથે જિંદગી પસાર કરી રહી હતી. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે. જેને કારણે આવનારી પેઢી પણ ખરાબ રસ્તે દોરાઇ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]