Breaking News

હીરા ઉદ્યોગમાં મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે એકસાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, પરિવારના 3 વ્યક્તિઓનું કરુણ મોત..!

રોજબરોજની દોડાદોડી અને આર્થિક સંકડામણનો ભોગ બની ગયેલા એક પરિવારે સામુહીક આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનો કિસ્સો હાલ સુરત શહેરમાંથી સામે આવ્યો છે, સુરતના સરથાણા વિસ્તાર નજીક આવેલા યોગીચોક નજીક વિજયનગર સોસાયટીમાં વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા નામના 55 વર્ષના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

વિનુભાઈનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું શિહોર ગામ છે, તેઓ હીરાના કારખાનાની અંદર કામકાજ કરે છે. પરિવારમાં વિનુભાઈની 50 વર્ષની પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષનો દીકરો ક્રીશ તેમજ 15 વર્ષની દીકરી સૈનિતા આ સાથે અન્ય બે સંતાનોનો પણ સમાવેશ થાય છે. વિનુભાઈ નો પરિવાર આર્થિક સંકળામણનો ભોગ બની ગયો હતો..

તેમના પરિવારના દરેક સભ્યો કોઈને કોઈ કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતા હતા, જેમાં વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા કારખાનાની અંદર રત્ન કલાકાર તરીકેનું કામકાજ કરતા હતા, જ્યારે તેમની પત્ની શારદાબેન તેમજ તેમની દીકરી સૈનિતા લેશ પટ્ટી મૂકવાનું કામકાજ ચલાવી રહ્યા હતા..

વિનુભાઈનો પરિવાર છેલ્લા ચાર થી પાંચ વર્ષની સુરતમાં તેમના પરિવારજનોની સાથે રહે છે. વિનુભાઈનો મોટો દીકરો કોલેજનો અભ્યાસ કરે છે, જ્યારે તેમની બે દીકરીઓ ઘરે સિલાઈ મશીનનો સંચો ચલાવીને પરિવારને મદદરૂપ બને છે. એક દિવસ સાંજના સમયે કેનાલ રોડ ઉપર જાહેરમાં આ પરિવારજનોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો..

જેમાં કુલ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે. જેની હાલત ખૂબ જ ગંભીર છે. વિનુભાઈને કુલ ચાર સંતાનો છે, જેમાંથી બે સંતાનો તેમની સાથે હાજર હતા. જ્યારે બે સંતાનો હાજર ન રહેવાને કારણે તેમનો જીવ બચી ગયો છે. વિનુભાઈ એને તેમના પરિવારના સભ્યોએ એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામની દવા પીઈ જવાને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા..

આ દવાને ગટગટાવ્યા બાદ તેઓએ તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમની એક દીકરી અને એક દીકરાને તમે સાચવી લેજો, બસ એટલું જ કહીને તેઓએ ફોન મૂકી દીધો હતો. આ સમાચાર સાંભળતા જ તાબડતોબ તેમના પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ચારે વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા..

જ્યાં માત્ર ટુંકી સારવાર બાદ વિનુભાઈના પત્ની શારદાબેનનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તરત જ સેનીતાએ પણ અંતિમ શ્વાસ લઈ લીધો હતો. આ સાથે સાથે વિનુભાઈનો દીકરો ક્રીશ પણ જીવ ગુમાવી બેઠો હતો, જ્યારે વિનુભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે..

આ ગંભીર ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, વિનુભાઈ એમના પરિવારજનોની સાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરે એ પહેલા જ તેમને એક અંતિમ સંદેશો આપતો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોની અંદર વિનુભાઈ મોરડીયા બોલી રહ્યા છે કે, હવે તેમની પાસે આપઘાત કરવા સિવાય કોઈ પણ રસ્તો બાકી રહ્યો નથી..

તેઓ સમગ્ર જીવન દરમિયાન સારા પિતા બની શક્યા નહીં, તેમજ સારો પુત્ર પણ બની શકે નહીં આ સાથે સાથે એક પતિ તરીકેની ફરજ પણ નિભાવી શક્યા નહીં અને હવે તેવો આપઘાત કરવા જઈ રહ્યા છે, આ વીડિયોને રેકોર્ડ કરીને તરત જ તેઓએ આપઘાત કરી લીધો હતો, આ વીડિયોને અત્યારે એફએસએલમાં તપાસ માટે મોકલાવવામાં આવી રહ્યો છે..

વિનુભાઈ હીરામાં મંદી હોવાને કારણે આધુનિક સંઘડામણનો અનુભવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, આ ઉપરાંત તેમના પિતરાઈ ભાઈ પ્રવીણભાઈનું જણાવવાનું છે કે ,તેઓની ઉપર કોઈપણ વ્યક્તિનું દબાણ હતું નહીં. છતાં પણ તેઓએ શા માટે આપઘાતનું આવું પગલું ભરી લીધું છે, તે વિશે તેવો પણ વિચારમાં મુકાઈ ગયા છે. આ ઘટનાને લઈ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *