Breaking News

હવામાન ખાતાએ રેડ એલર્ટ આપતા જ બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા, આ 2 દિવસ ગુજરાત ઉપર અતિભારે તોફાની વરસાદનું મોટું સંકટ, વાંચો આગાહી..!

હાલ તાજેતરમાં જ હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, આવનારા દિવસોની અંદર ગુજરાત ઉપર ખૂબ મોટી આફત ત્રાટકવા જઈ રહી છે. એટલે કે 8 અને 9 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આગામી પાંચ દિવસની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવાની શક્યતાઓ પહેલા જ વ્યક્ત કરી દેવામાં આવી હતી..

પરંતુ 8 અને 9 તારીખ આ બંને દિવસ ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થશે. કારણકે આ બંને દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે જુદા જુદા વિસ્તારોમાં રેડ એલર્ટ અને બંદરોમાં પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે..

જ્યારે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને પણ હાઈ એલર્ટ કરાયા છે. તેમજ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ તહેનાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ, નવસારી, કચ્છ, જામનગર, દ્વારકા આ તમામ જિલ્લાઓમાં લોકોને ખાસ સુચના આપવામાં આવી છે કે 8 અને 9 તારીખના રોજ કામ વગર ઘરની બહાર ન નીકળે…

કારણ કે ભારે વરસાદ તોફાની પવન અને કડાકેદાર વીજળી સાથે ત્રાટકવા જઈ રહ્યો છે. જેમાં જાનહાનિની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત માછીમારો અને દરિયો ન ખેડવાની સલાહ દીધી છે. જ્યારે સાથે સાથે અમદાવાદ શહેરમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે તેવી આશકાઓ વ્યક્ત કરી છે. 6 તારીખના રોજ કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, દ્વારકા અને વલસાડમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી..

જ્યારે 7 તારીખે ભરૂચ, સુરત, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારેથી વિનાશક પુર સર્જે તેવી આગાહીઓ આપી છે. જ્યારે 8 અને 9 તારીખના રોજ ગુજરાતના સાર્વત્રિક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે આફતો સહન કરવાનો વારો આવી પડશે કારણ કે હાલ દરિયા કિનારાના વિસ્તારોમાં જ ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ગીર સોમનાથના કોડીનાર અને સુત્રાપાડામાં તો છ ઇંચ કરતા પણ વધારે વરસાદ ત્રાટકી ચુક્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજા એ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *