પરિવારમાં જો એકતા ન હોય તો સંબંધો લાંબા સમય સુધી ટકી શકતા નથી, ગમે તેવા ગાઢ સંબંધોને એક નાની અમથી વાત પણ તોડાવી નાખે છે. જો પતિ અને પત્ની તેમજ પરિવારના દરેક સભ્યો વચ્ચે સારો તાલમેળ તેમજ સારી સમજણ શક્તિ હોય તો ગમે તેવા દુઃખ આવી પડયે પર પણ પરિવાર તૂટતો નથી..
અત્યારે મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના સબલગઢ ગામમાંથી એક એવી ઘટના ઘટી છે. જેને જાણીને પરિવારના સૌ કોઈ ચેતી જવું જોઈએ તેમજ ગમે તેવા જરૂરી કામમાં પડતા મૂકીને પરિવારના સભ્યો સાથે શાંતિથી બેસીને સુખ દુઃખની વાતો કરવા લાગવી જોઈએ. કંઈક ને કંઈક પરિવારમાં એકતાનો અભાવ જોવા મળે છે..
જેના કારણે આવી ઘટનાઓ હવે સામે આવવા લાગી છે. આ ગામમાં રામ કુમાર પાંડે તેના દીકરા ભૂપેશ પાંડે તેમજ તેની પત્ની અને તેની દીકરી સાથે રહેતા હતા. તેઓ છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારતા હતા. પરંતુ રામકુમાર પાંડે અને તેમની પત્ની બંને અવારનવાર ઝઘડી પડતા હતા..
ઘણી બધી વાર ભુપેશ પાંડે આ ઝઘડામાં વચ્ચે પડીને તેના માતા-પિતાને શાંત કરાવતો હતો, તો અમુક વખત પાડોશીઓની મદદ પણ લેવી પડતી હતી, અમુક અમુક વખત તો વાત મારામારી અને ગાળા ગાળા સુધી પણ પહોંચી જતી હતી. પરિવારમાં જોઈએ તેટલી એકતા દેખાઈ આવી નહીં તેના કારણે આ પરિવાર લાંબો સમય સુધી ટકી શક્યો નથી..
એક દિવસ રામકુમાર પાંડે રૂમમાં સૂતો હતો. જ્યારે તેની પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી. આ બંને બોલાચાલી કરવા લાગ્યા હતા. અને ધીમે ધીમે વાત એટલી બધી આગળ પહોંચી ગઈ કે, તેઓ મારામારી પણ કરવા લાગ્યા હતા. જ્યારે તેના પિતાની ચીસોનો અવાજ સાંભળ્યો ત્યારે રામકુમારનો દીકરો ભૂપેશ તાત્કાલિક તેમના રૂમમાં દોડી ગયો..
અને જોયું તો તેની બહેન તેના પિતાના માથે ચડીને તેને પકડીને બેઠી હતી. જ્યારે તેની માતા હાથમાં હથોડો લઈ તેના પિતાના ઉપર વાર કરી રહી હતી. આ દ્રશ્ય જોતાની સાથે જ ભૂપેશ જાણે ત્યાં ઢળી પડ્યો હતો. કારણ કે માં દીકરી બંને મળીને ભુપેશના પિતા રામકુમાર પાંડેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આટલું જ નહીં પરંતુ ભૂપેશની માતા જ્યાં સુધી રામકુમાર પાંડેનો જીવ ન ગયો ત્યાં સુધી ઉભી રહી નહીં, આ ઘટનાની જાણકારી જ્યારે ભૂપેશ ભાનમાં આવ્યો ત્યારે તેને તેના સંબંધીઓને કહી હતી. આ ઉપરાંત પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..
ત્યારબાદ જરૂરી તપાસ કરી રામકુમાર પાંડેની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી. જ્યારે પ્રાથમિક તપાસ અને શંકાને આધારે પોલીસે રામ કુમારની પત્ની તેમજ તેની દીકરીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે.
જ્યારે રામકુમારનો દીકરો ભુપેશ હાલ કશું બોલી શકે તેવી હાલતમાં નથી. પરંતુ તેણે કહ્યું કે, હજુ પણ મારી નજર સામેથી જતા નથી તેની માતા અને તેની બહેનની આ કરતુતો જોઈને તે ત્યાં ને ત્યાં જડી પડ્યો હતો. તેના માટે આ બાબત સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે..
સામાન્ય ઝઘડામાં તેઓએ મોતનો ખેલ ખેલી નાખ્યો હતો. અને હવે રામકુમારની પત્ની તેમજ રામ કુમારની દીકરી બંનેને જેલની સળિયા પાછળની હવા ખાવાનો વારો આવશે જ્યારે રામકુમારનું મૃત્યુ થયું છે. અને તેનો દીકરો ભૂપેશ એકલવાયો બની ગયો છે. નજીવા ઝગડાના ગુસ્સાને કારણે હાલ સમગ્ર પરિવાર વેર વિખેર બની ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]