પરિવારમાં રહેતા લોકો આજકાલ નાની-નાની વાતમાં કંટાળીને તેમના પરિવારના બીજા લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ જોઈને દરેક લોકોના હૃદય કાંપવા લાગ્યા હતા. આ કિસ્સો મધુબનીમાં બન્યો હતો.
જેમાં એક મહિલા રેલ્વે સ્ટેશન પરથી મૃત હાલતમાં મળી આવી હતી. આ મહિલા સાથે એવું બન્યું હતું કે મહિલા ઈનરવા ગોથ ગામની રહેવાસી હતી. મહિલાના લગ્ન ઈનરવા ગોથ ગામના રહેવાસી યુવક સાથે કરાવવામાં આવ્યા હતા. મહિલાનું નામ રીન્કુ કુમારી હતું. તેમની ઉંમર 28 વર્ષની હતી. રીન્કુ ના લગ્ન મનોજ પાસવાન નામના યુવક સાથે કરાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી અને રીન્કુ કુમારી તેમના પતિ સાથે પણ હળીમળીને રહેતી હતી. અને દરેક પરિવારના લોકોનું ખૂબ જ ધ્યાન રાખતી હતી પરંતુ એક દિવસ મધુબનીમાં આવેલા રેલ્વે સ્ટેશન પાસે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે થોડીવાર બાકડા પર બેઠી હતી. ત્યારબાદ ટ્રેનને આવતી જોઈને અચાનક જ તે રેલવેના પાટા પર ગઈ હતી.
રેલવે ટ્રેનની અડફેટે આવી જતા તેનું જ ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના જોઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ભેગા થયેલા લોકોએ તરત જ રેલવે કર્મચારીઓને આ ઘટનાની જાણ કરી હતી. રેલવે કર્મચારીઓ તરત જ દોડીને આવ્યા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઘટના સ્થળે આવીને મહિલાની તપાસ કરી હતી. તે સમયે મહિલાના હાથ ચેક કરતાં હાથમાંથી એક અંતિમ નોટ લખેલી મળી આવી હતી. આ નોટ વાંચતા જાણવા મળ્યું કે મહિલાએ પોતાના હાથમાં નામ અને સરનામું લખ્યું હતું અને સાથે એવું પણ લખ્યું હતું કે, ‘હું જે પણ કરી રહી છું, તે મારી મરજીથી કરી રહી છું,..
મારા ગયા પછી કોઈને કશું પણ થવું જોઈએ નહીં’ મહિલાએ પોતાની જિંદગીથી જ કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસને લાગી રહ્યું હતું. મહિલા સાથે પરિવારના લોકો ખૂબ જ સારી રીતે રહેતા હતા પરંતુ મહિલાએ આ પગલું શા માટે ભર્યું તેમ વિચારીને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. રીન્કુનો પતિ પણ ભાન ભૂલી ગયો હતો. આજકાલ આવી આઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]