દિવસેને દિવસે શહેરોમાં મારામારી અને ઝઘડાઓ વધી રહ્યા છે. આવા કિસ્સાઓ સામે આવતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. લોકો એકબીજા સાથે નાની નાની વાતમાં ઝઘડાઓ કરીને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના દાતિયા વિસ્તારમાં બની હતી.
સાહિડા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારની મહિલા સાથે તેમના જ ગામના યુવકોએ જીવલેણ ઘટના આ ઘડી નાખી હતી. મહિલાનું નામ સુનીતા હતું. તેમની ઉંમર 35 વર્ષની હતી. તેમના પતિનું નામ રોશન જાટવ હતું. સુનીતા ગામમાં પાણીની અછત હોવાને કારણે પોતાના ઘરની બહાર ગામમાં સરકારી હેડ પંપ પર પાણી ભરવા માટે ગઈ હતી.
તે ઘરના વાસણો લઈને પાણી ભરવા નીકળી હતી. તે સમયે તેના જ ગામના ત્રણ યુવકોએ તેમના પર નજર રાખી હતી અને સુનિતા હેડ પંપ પર પહોંચી પોતાના વાસણ પાણી ભરવા માટે મૂક્યા હતા. તે સમયે આ ત્રણેય યુવકો તેમની પાસે પહોંચ્યા હતા અને સુનીતાના પાણી ભરવા મુકેલા વાસણોની ફેંકી દીધા હતા અને કહ્યું હતું કે,..
‘પાણી ભરવા દેવામાં નહીં આવે’ જેને કારણે સુનિતાએ વાસણ ફેંકી દીધાના કારણે આ ત્રણે લોકો સામે વાંધો પડ્યો હતો અને તે બુમાબુમ કરવા લાગી હતી, જેના કારણે યુવકો સુનિતા પર ગુસ્સે થઈને તેમને માર મારવા લાગ્યા હતા અને સુનિતા સાથે મારામારી કરવાને કારણે સુનિતાને બચાવવા ગામના બીજા વ્યક્તિઓ ભેગા થવા લાગ્યા હતા.
ગામના આ માથાભારે યુવકોના નામ માખણ રાવત, અનિશ રાવત અને બલ્લી રાવત હતું. ત્રણ યુવકો ગામના ખૂબ જ માથાભારે યુવકો હતા. તેઓએ મહિલાને ઢોર માર્યો હતો જેના કારણે સુનીતાના પરિવારજનો સરકારી હેડપંપ પાસે પહોંચ્યા હતા અને સુનિતાને તરત જિલ્લા હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા.
સુનીતા ની સારવાર ચાલી રહી હતી. પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા તેમના ઘરની મહિલા સાથે ગામના ત્રણ યુવકોએ આવું કરુણ ભર્યો વ્યવહાર કર્યા ને કારણે ગામના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા. નાની વાતમાં આવા ઝઘડાઓ કરીને તેઓ ગામના બાળકોને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હતા. અવારનવાર ગામના અન્ય વ્યક્તિઓ સાથે પણ આ ત્રણેય યુવકો વારંવાર ઝઘડાઓ કરતા હતા. જેના કારણે ગામના લોકો ત્રણેય યુવકોથી ખૂબ જ કંટાળી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]