ઘણા વર્ષો પછી અમુક ખજાના કે ગુફાઓને જયારે ખોલવામાં આવે ત્યારે તેમાંથી ઘણી અવનવી વસ્તુઓ નીકળતી હોઈ છે. પરંતુ 99 વર્ષથી બંધ પડેલી એક ગુફાને ખોલીને જોયુ તો વસ્તુ નહી પણ મળ્યું કઈક એવું કે જે જોઈને હજુ પણ સૌ કોઈ વિચારે છે કે આ કેવી રીતે શક્ય હશે.. નક્કી આ કોઈ ચમત્કાર હશે…
ક્યારેક દુનિયામાં આવી અજીબોગરીબ ઘટનાઓ બને છે, જે લોકોમાં કાયમ ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં ઈટલીમાં પણ કંઈક એવી જ ઘટના બની છે. અહીંની એક ગુફામાં કિંમતી વસ્તુની શોધમાં ગયેલા કેટલાક લોકોને એક ડરામણી વસ્તુ મળી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ગુફાની અંદર છેલ્લા 99 વર્ષથી એક શબ બંધ હતું. આ લાશ એવી હાલતમાં મળી આવી હતી કે હવે તેની ચર્ચા થઈ રહી છે. આ શબ જેની છે તે વ્યક્તિ છેલ્લા 99 વર્ષથી સૂટ-બૂટ અને ટાઈ પહેરીને ગુફામાં બેઠો હતો.
આ ગુફા છેલ્લા 99 વર્ષથી બંધ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગુફામાં શબ મળી આવ્યો હતો તે જ્વાળામુખી ફાટવાથી બનેલી હતી. ગુફામાં કિંમતી વસ્તુની શોધમાં ગયેલા લોકોએ જ્યારે વ્યક્તિને આવી હાલતમાં જોયો તો તેમની ચીસો નીકળી ગઈ.
99 વર્ષ પછી આ ગુફા ખોલવામાં આવી, જેની અંદર શબ સુકાઈ ગયું હતું. મૃતદેહને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે શરીરે કોઈ ઈજા નથી. તેના ચહેરા અને નાક પર ખૂબ જ ઊંડા ઘા જોવા મળ્યા હતા. નવાઈની વાત તો એ છે કે તે માણસ સારી રીતે સજ્જ હતો. આ વ્યક્તિએ સૂટ-બૂટ અને ટાઈ પહેરેલી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની ઉંમર 50 વર્ષની આસપાસ હોવી જોઈએ. સાથે જ વ્યક્તિના પર્સમાંથી કેટલાક સિક્કા પણ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ 99 વર્ષથી આ ગુફામાં બેઠો હતો. હવે આ વ્યક્તિ આ ગુફાની અંદર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે બની શકે કે આ વ્યક્તિ પોતે જ આ ગુફાની અંદર જઈને બેસી ગયો હોય. આ સાથે, વ્યક્તિએ તેના પગમાં બુટ અને હાથમાં ઘડિયાળ પણ પહેરેલી હતી. તે જ સમયે, પોલીસે પણ પુષ્ટિ કરી કે શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. માત્ર ચહેરા પર ઈજા થઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિનો મૃતદેહ ત્યારે મળ્યો જ્યારે પોલીસ અને કેટલાક લોકો કોઈની શોધમાં ટેકરી પર શોધખોળ કરી રહ્યા હતા. હકીકતમાં આ દ્રશ્ય ખુબ જ ડરામણુ હતું. જે લોકોએ આ દ્રશ્ય નજર સામે જોયુ હશે તે લોકો માટે તો ઊંઘવું પણ મુશ્કેલ બની ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]