કામ ધંધો કરતી વેળાએ તેમજ અન્ય કોઈ ઘરકામ કરતી વેળાએ પણ જીવને જોખમ ન રહે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. દિન પ્રતિદિન ઘણા બધા મામલાઓ એવા સામે આવે છે કે, જેમાં સહેજ પણ ધ્યાન ભંગ થાય કે, જે તે વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. અમુક ધંધા હોય એવા હોય છે કે, જેમાં જીવના જોખમ એ પૈસા કમાવવા પડે છે..
અને પરિવારનું ગુજરાન ચલાવવું પડતું હોય છે. છૂટક સર્વિસનો ધંધો કંઈ જીવના જોખમ સાથે જોડાયેલો છે. થોડા દિવસ પહેલા એસી રીપેર કરતી વેળાએ એક યુવક બીજા માટેથી નીચે પડકાયો હતો. અને ઘડીકમાં જ તેમનું મૃત્યુ થયું હતું અને હવે બનાસકાંઠાના દિયોદર માંથી બધું એક મૃત્યુનો બનાવ સામે આવ્યો છે..
દિયોદર તાલુકાના રૈયા ગામની અંદર મૂળ કચ્છ ભુજના ખેગારપુર ગામના એક પરિવારજનો રહે છે. આ આહીર પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી રૈયા ગામના નવાવાસમાં રહીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના મોભી બોરવેલા રિંગની કામગીરી કરતા હતા. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો…
પરંતુ એક દિવસ તેમના સમગ્ર પરિવાર માટે કાળ બનીને ત્રાટકયો છે. એક દિવસ તેમનો 18 વર્ષનો દીકરો અમિત રવિવારના સવારના સમયે પોતાના ઘરે રહેલા વોશિંગ મશીનનો પ્લગ રીપેર કરી રહ્યો હતો. પ્લગની અંદર કોઈ ખામી સર્જાતા વોશિંગ મશીન ચાલતું ન હતું માતાના વારંવાર કહેવા બદલ 18 વર્ષનો દીકરો અલગ રીપેર કરવા માટે પહોંચ્યો હતો..
તે જ્યારે અલગ રીપેર કરી રહ્યો હતો કે, અચાનક જ તેમાંથી વીજ કરંટ આવ્યો અને અમિતને જોરદાર વિજ કરંટ લાગી ગયો હતો. ચોટી ગયો અને તેને તાત્કાલિક દિયોદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે, તેમના એકના એક વારસો એ દીકરાને કરંટ લાગ્યો છે..
ત્યારે સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. દિયોદરની હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે 18 વર્ષના દીકરાને મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ સમાચાર તેના માતા-પિતાને મળ્યા ત્યારે તેમના પર આફતોને આભ ફાટી નીકળ્યા હતા. તો ચારેકોર શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. કારણકે રણછોડભાઈ આહીરનો એકનો એક દીકરો અમિત હવે આ દુનિયામાં રહ્યો હતો નહીં.
પોતાના દીકરાના મૃત્યુને લઈને તેના માતા-પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો પણ શોકની લાગણીમાં વહી ગયા છે. જ્યારે સમગ્ર ગામમાં પણ ભરેરાટી મચી ગઈ છે. ઈલેક્ટ્રીક ચીજ વસ્તુઓ તેમજ કુદરતી ચીજ વસ્તુઓમાં હંમેશાં જીવને જોખમ રહેલું હોય છે. કરંટ લાગવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે..
આ વર્ષે ચોમાસાની સિઝન શરૂ થયા બાદ આકાશી વીજળી પડવાને કારણે અંદાજે 30 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 40 કરતા વધારે પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. ચોમાસાની સીઝનમાં કોઈપણ આફતને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધવા લાગી છે. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]