ઘરના કોઠારમાંથી પડોશમાં રેહતા યુવકની લાશ મળતા જ સૌ કોઈ હક્કા બક્કા રહી ગયા, પડોસણ સાથે પ્રેમ સબંધની વાતો ઉડતા જ… વાંચો..!

ઘણી બધી વાર ઓચિંતા જ એવા બનાવો બનતા હોય કે, જેને લઈને સૌ કોઈ લોકોના સુખ ચેન જતા રેહતા હોય છે. કંઈક આવું હાલ ઉત્તર પ્રદેશના દુહાપુરના નિરૂવા ગામમાં થયું છે. અહીં નાનકું નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. તેમની પડોશમાં ખુશીરામ પાઠક તેમજ તેમનો પરિવાર રહે છે..

એક દિવસ સાંજના સમયે નાનકુભાઈના ઘરે ખુશીરામ પાઠકના એકના એક દીકરા આનંદ પાઠકની લાશ કોઠારમાંથી મળી આવી હતી. જ્યારે આ બનાવો બન્યો ત્યારે સૌ કોઈ લોકો હચમચી ગયા હતા. નાનકુનો દીકરો દિલ્હીમાં રહીને એક પ્રાઇવેટ નોકરી કરે છે. આસપાસના લોકોનું કહેવું છે કે, આનંદ પાઠકને નાનકુની પત્ની સાથે અફેર હતું..

એટલા માટે તે વારંવાર તેના ઘરે આવ જા કરતો હતો. પરંતુ નાનકુને આ બાબતની કોઈ પણ જાણ નથી. તેઓ તેને પોલીસને જણાવ્યું છે. જ્યારે તે સાંજના સમયે ભોજન કર્યા બાદ સુવા માટે પોતાની રૂમ તરફ જતો હતો. એવા તેને કોઠાર પાસે નજર ફેરવીને જોયું હતું ત્યાં આનંદ પાઠક લટકી રહ્યો હતો..

આ જોતાની સાથે જ તેણે હોશ ગુમાવી બેઠા હતા. અને જોર જોરથી રાડો કરીને બહાર સૌ કોઈ લોકોને જાણ કરી હતી. આસપાસના સૌ કોઈ લોકો તેમના કોઠારમાં આવી પહોંચ્યા અને ત્યાં જઈને જોયું તો આનંદ પાઠક લટકી રહ્યો હતો. તેણે તેની પત્ની અને અન્ય સભ્યોને પણ પૂછ્યું પરંતુ તેઓને કોઈ પણ પ્રકારની જાણ નથી તેવું જણાવ્યું હતું..

ત્યારબાદ તેઓએ પોલીસને બોલાવીને આ ઘટનાની કડીઓને સુલજાવાની કોશિશ કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, જો આનંદને આપઘાત કરવો હોય તો તે પોતાના ઘરે જ કરી લે, પરંતુ તે તમારા ઘરની કોઠારમાં શા માટે આપઘાત કરવા આવ્યો તે તપાસનું કારણ છે, ગામજનોની પૂછતા જ કરતા જણાયું છે કે, આનંદ પાઠકને નાનકુની પત્ની સાથે અફેર ચાલતું હતું..

એટલા માટે તે તેને મળવા માટે અવારનવાર તેના ઘરે જતો હતો અને કોઠારમાં જ મળતો હતો. શું ખબર કે તેમના પ્રેમ સંબંધમાં કોઈ તિરાડ આવી પડી હોય કે જેના કારણે આનંદ પાઠકે તેમ જ ઘરે જઈને આપઘાત કરી લીધો હોય, આ બાબતે તપાસ ચલાવામાં આવી રહી છે. એક બાજુ આનંદ પાઠકના કરે ખૂબ જ દુઃખનો માહોલ થઈ ગયો છે.

તો એક બાજુ નાનકુ એની પત્નીને વારંવાર હકીકત પૂછી રહ્યો છે, અને નાનકુની પત્ની આ તમામ બાબતો જાણતી નથી તેવું જણાવી રહી છે. પોલીસ વારંવાર એક પછી એક દરેક લોકોને પોતાની કસ્ટડીમાં બોલાવીને કડક પૂછતા જ કરે છે. નક્કી કોઈને કોઈ જાણકારી જરૂર મળશે જેના કારણે આ કેસ સુલજી જશે.

પોતાની પત્ની વિશે કોઈપણ પ્રકારની માહિતી ન હતી. નાનકુનું કહેવું છે કે, તે જમીને પોતાના રૂમમાં જોવા માટે જતું હતો. એવામાં તેની પત્ની વાસણ ધોતી હતી. અને અચાનક જ તેમની નજર તેમના કોઠાર ઉપર પડી અને ત્યાં આ દ્રશ્ય જોયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment