Breaking News

ઘરનાં આંગણામાં રમતો બાળક અચાનક ગાયબ થઈ ગયો, ચોથા દિવસે શરીરમાં જીવડા પડી ગયેલી હાલતમાં મળી આવતા માં-બાપ ઢળી પડ્યા..!

અવારનવાર બાળકો સાથે ગંભીર કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે. બાળકોને રમવાની ઉંમરમાં સાચા ખોટાની સમજણ હોતી નથી. તેઓ પોતાની ધુનમાં રમત રમી રહ્યા હોય છે. બાળકોની અણસમજને કારણે તેની સાથે ગંભીર બનાવો બની જતા તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી જ એક કરુણ ઘટના સામે આવી હતી.

આ ઘટના બિલગ્રામ તહસીલ વિસ્તારમાં આવેલા એક્સાઇ ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો રહેતા હતા. પિતાનું નામ ઈશ્વરચંદ્ર હતું અને તેમના દીકરાનું નામ ક્રિષ્ના હતું. ક્રિષ્નાની ઉંમર 4 વર્ષની હતી. ક્રિષ્ના પરિવારનો એકનો એક દીકરો હતો. ઈશ્વરચંદ્રના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા.

તેઓ પોતાની પત્ની સાથે એક્સાઈ ગામમાં રહીને ખેત મજૂરી કરી રહ્યા હતા. તેમની ઘણા સમયથી કોઈ સંતાન ન હતું પરંતુ લગ્નના 12 વર્ષ પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. તેમનું નામ ક્રિષ્ના હતું. તે પરિવારમાં સૌનો પ્રિય હતો. તેમનો લાડકો દીકરો દરરોજ પોતાના મિત્રો સાથે ઘરની બહાર રમવા જતો હતો.

તે ગામના બાળકો સાથે ઘરની બહાર જ રમી રહ્યો હતો અને તેની માતા ઘરમાં કામ કરી રહી હતી. તે સમયે તેમનો દીકરો બહાર રમી રહ્યો છે. તેમ જાણીને માતા જોવા ગઈ ન હતી પરંતુ થોડા સમયે તે દીકરાની સંભાળ લેવા માટે બહાર પહોંચી ત્યારે તેમણે જોયું તો દીકરો દેખાય રહ્યો ન હતો. માતાએ આસપાસ તેના દીકરાને શોધ્યો હતો.

પછી ન મળતા તરત જ તેના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. ઈશ્વરચંદ્રને તેના દીકરાના ગાયબ થયાની જાણ થતા તેઓ હાફળા-ફાફળા થઈ ગયા હતા અને ગામમાં દરેક જગ્યાએ તેના દીકરાને શોધ્યો હતો. શોધ કરવા છતાં તે મળ્યો નહોતો. ગામના લોકોને લાગ્યું હતું કે બાળકો ઘણી વખત ગામના તળાવે રમવા માટે જાય છે.

જેના કારણે તળાવમાં પડી ગયો હોવાની આશંકા હતી. તળાવમાં પણ જાળ નાખીને શોધખોળ કરી હતી પરંતુ મળ્યો ન હતો. ચાર દિવસથી ક્રિષ્ના તેના ઘરેથી લાપતા થઈ ગયો હતો અને તે મળ્યો નહોતો પરંતુ પાંચમા દિવસે ગામની બહાર આવેલા ખેતરમાં માલિકને પસાર થતા દુર્ગંધ આવતી હતી જેના કારણે ખેતરના માલિકે ખેતરમાં ઝાડીમાં જોયું તો એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

અને તરત જ ખેતરના માલિકે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની ઓળખ કર્યા બાદ તેમના માતા પિતાની બાળકના મૃતદેહની ઓળખ કરવા કહ્યું હતું તે સમયે માતા પિતા બાળકનું મૃત્દેહ જોઈને ઢળી પડ્યા હતા તેમના એકને એક દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું.

બાળક પણ સડેલી હાલતમાં મળી આવ્યો હતો જેના કારણે આ ઘટના કોઈએ ખૂબ જ દુશ્મનાવટ માટે કર્યું હોવાની પોલીસને આશંકા હતી એક માસુમ દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જવાને કારણે તેમના પરિવારજનો આઘાતમાં ઢળી પડ્યા હતા અને પરિવાર પર આ ફાટી પડ્યુ હોય તેવું દુઃખ આવી પડ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *