કેટલાક લોકો પોતાના મનમાં ભરેલા બદઇરાદાને લઈને અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. આવા લોકોને પકડી પાડવા માટે શહેરના પોલીસ ખાતા ખૂબ જ સર્તક રહે છે. દિન પ્રતિદિન નાની ઉંમરની બાળકીઓ તેમજ મહિલા અને સગીરાઓ સાથે શારીરિક અડપલા અ.ત્યા.ચા.ર કે .દુ.ષ્ક.ર્મ.ના બનાવો સર્જનાર આરોપીઓને કોઈપણ કાળે બક્ષવામાં આવતા નથી..
અત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી અતિશય ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જે સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી ગયો છે. બિલારી શહેરના એક વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારની 11 વર્ષની દીકરી સાથે ખૂબ જ મોટો અણ બનાવ બન્યો છે. આ દીકરી ધોરણ 6માં અભ્યાસ કરે છે..
તે એક દિવસ સાંજના 10 વાગ્યા આસપાસ ઘરની બહારના આંગણામાં રમી રહી હતી. એવામાં અચાનક જ બે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને આ દીકરીના મોઢે રૂમાલ ઢાંકીને તેને તેડીને ત્યાંથી જતા રહ્યા હતા. હકીકતમાં આ દીકરીને રૂમાલ સુંઘાડતા જ તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને અંધારા વાળી એક ગલીમાં લઈ જવામાં આવી હતી..
અને ત્યાં આ બંને વ્યક્તિએ તેની સાથે ખૂબ જ ખોટું કામ કર્યા હોવાની માહિતી સામે આવી છે. 11 વર્ષની દીકરીને મોઢે રૂમાલ સુઘાડીને ઉપાડી જનાર વ્યક્તિનું નામ સમીમ ઉર્ફે છોટુ હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર 45 વર્ષની છે. અને તે પોતે માસ મટન વેચવાનું કામકાજ કરે છે. તેની સાથે એક વ્યક્તિ માસ પહેરીને આવ્યો હતો..
જેથી કરીને 11 વર્ષની આ દીકરી આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિને ઓળખી શકી નહીં. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે, તેમની 11 વર્ષની દીકરી ઘરથી રમતી રમતી કંઇક ગાયબ થઈ ગઈ છે. ત્યારે તેઓ આસપાસના વિસ્તારમાં તપાસ કરવાની શરૂઆત કરી હતી. જેમાં બાજુમાં રહેલી અંધારી ગલીમાંથી તેમની દીકરી ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી..
ત્યારબાદ તેને પૂછપરછ કરતા જણાયું કે, માસ મટન વેચનાર 45 વર્ષનો ઢાંઢો તેને ઉપાડીને લઈ ગયો હતો. અને ત્યારબાદ તેના પર ન કરવાના કાર્યો કર્યા હતા. આ સાંભળતા જ દીકરી ના પિતા એકાએક હચમચી ગયા હતા. તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ 45 વર્ષના આરોપી યુવક સમીમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમીમ સામેથી કેસ દાખલ કર્યો છે..
પરંતુ તેની સાથે રહેલા અન્ય વ્યક્તિની જાણકારી મળી નથી. એટલા માટે તેના પર કોઈ પણ કેસ લગાવવામાં આવ્યો નથી. પરંતુ આરોપીને પકડી પાડીને તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવશે. આ સાથે જ તેની સાથે રહેલો વ્યક્તિ કોણ હતો તેની પણ માહિતી મેળવવામાં આવશે.
આ બનાવને લઈને ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ભારે ચકચાર મચી ગયો છે. વારંવાર જુદા-જુદા તાલુકાઓમાંથી આ પ્રકારના કેસો સામે આવે છે. હકીકતમાં ક્યાંકને ક્યાંક સમાજમાં આગેવાન લોકોને સમાજ જોગ સંદેશો આપવાની ફરજ પડી છે કે, જેના કારણે લોકોની વિચારધારા સુધરે અને આવા બનાવો બનવાનું ઓછું થઈ જાય. પરંતુ લોકોના મનમાં જાગૃતતા લાવવા માટે ખૂબ જ મોટી ઝુંબેશ ચલાવી પડશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]