આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓમાં સહનશક્તિ રહી નથી તેઓ પોતાની નાની-નાની વાતને મગજ ઉપર લઈને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, આવી જ એક યુવતીએ તેની સાથે ગંભીર ઘટના કરી નાખી હતી. યુવતી તેના પરિવાર સાથે હરિયાણાના અંબાલામાં રહેતી હતી. યુવતી સરળ સ્વભાવની હતી.
યુવતીના પરિવારમાં તેમની દાદી, કાકા-કાકી અને તેમનો મોટો ભાઈ રહેતા હતા. યુવતીની ઉંમર 23 વર્ષની હતી. તેમનું નામ સેફાલી હતું. સેફાલીના ભાઈનું નામ શુભમ હતું. પરિવારમાં તે દરેક લોકો સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી પરંતુ એક દિવસ યુવતી તેમના પરિવારજનો સાથે હતી અને ઘરે દાદી અને કાકા-કાકી સાથે સેફાલીનો ઝઘડો થયો હતો.
કોઈ નાની વાતને લઈને ઝઘડો થતા સેફાલીને થયું તેને ઘરમાં બધા હેરાન કરે છે કોઈ તેમનું નથી. જેના કારણે આ ઝઘડાની વાતો તેણે મગજમાં લઈ લીધી હતી અને તેણે ગયા બે દિવસથી ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. તે પોતાના પરિવારના લોકોથી ખૂબ જ કંટાળી ગઈ હતી. જેના કારણે સેફાલી રાતના સમયે તેમના ઘરની બહાર નીકળી હતી.
ઘરની બહાર નીકળ્યા બાદ તે બહાર રોડ તરફ જઈ રહી અને ઘરના તમામ લોકો સૂઈ ગયા હતા, જેના કારણે સેફાલી ઘરની બહાર નીકળી તે પરિવારના લોકોને ધ્યાન રહ્યું નહીં સેફાલી રંગીન મંડી રોડ તરફ ચાલીને જતી રહી હતી, ત્યારબાદ સવાર થતા પરિવારના લોકોએ સેફાલીને જોઈ નહી જેના કારણે શેફાલીને શોધવાની તપાસ ચાલુ કરી હતી.
સેફાલીનો મોટો ભાઈ પણ સેફાલીના ગુમ થયાને કારણે ખૂબ જ ચિંતામાં હતો અને તેણે સેફાલીને દરેક જગ્યાએ શોધી હતી. છતાં પણ મળી નહીં જેના કારણે પંજોખરા પોલીસ સ્ટેશનમાં ભાઈએ તેમની નાની બહેન સેફાલીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે યુવતીના મોબાઇલ નંબર લઈને યુવતીને શોધવાની તપાસ હાથ ધરી હતી.
પરંતુ શેફાલી નો મોબાઇલ પણ સ્પીચ ઓફ હતો જેના કારણે શેફાલીનો કોઈ પતો લાગી રહ્યો ન હતો. સેફાલીનો ભાઈ શુભમ ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો અને તેમના પરિવારના લોકો પણ ચિંતા ન હતા. સેફાલી સુરક્ષિત છે કે નહીં તેમ વિચારીને તેનો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતો. આજકાલ લોકોમાં સહનશક્તિ રહી નથી. તેઓને કોઈ નાની વાતનું ખોટું લાગી જતાં તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]