ગામડાઓમાં રહેતા લોકો ખૂબ જ દયાળુ હોય છે. તેઓ પોતાના ખેતરોમાં કામ અને ખેત મજૂરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમના પરિવાર માટે પાઈ-પાઈ કરીને પૈસા ભેગા કરતા હોય છે. ગામડાના લોકો પોતાના દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને શહેરમાં નોકરી ધંધા માટે મોકલી દે છે.
અને તેઓ પોતાનું એકલવાયું જીવન પસાર કરી રહ્યા હોય છે. એક ગામમાં રહેતી વૃદ્ધ દાદી સાથે ખૂબ જ ગંભીર ઘટના બની ગઈ હતી. વૃદ્ધ દાદીના દીકરા શહેરોમાં નોકરી કરી રહ્યા હતા. આ ઘટના જોધપુર જિલ્લાના બની હતી. દીકરા સારા એવા ધંધે ચડી ગયા હતા. વૃદ્ધ દાદી જોધપુર જિલ્લાના માલકોસ ગામમાં રહેતી હતી.
વૃદ્ધ દાદીનું નામ ગીતાદેવી નેનારામ પ્રજાપતિ હતું. તેમની ઉંમર 70 વર્ષની હતી. તે પોતાના ઘરમાં એકલી જ રહેતી હતી અને તેમને સંતાનમાં 4 દીકરા હતા. જ્યારે દીકરામાંથી ત્રણ દીકરા રાજસ્થાનમાં કામ કરતા હતા અને એક દીકરાને સરકારી નોકરી હતી. જેને કારણે તે એક સારી એવી સરકારી નોકરીમાં કર્મચારી હતા.
ચારે દીકરાઓ વૃદ્ધ માતાથી દૂર રહીને નોકરી કરી રહ્યા હતા અને તેમની વૃદ્ધ માતા ઘરે એકલી રહેતી હતી. એક દિવસ વૃદ્ધ માતા સાંજના સમયે વાળુ પાણી કરીને પોતાના ઘરનો દરવાજો બંધ કરી તે ફળિયામાં પોતાના ખાટલા પર સુઈ રહી હતી. ત્યારે અડધી રાત થતા અચાનક જ તેના ઘરમાં કોઈ ઘૂસી ગયું હતું.
ખળભળાટનો અવાજ આવતા દાદીને આ અવાજ સંભળાયો હતો, જેના કારણે તે ખાટલા પરથી ઉભા થાયને કોણ છે? તેમ બોલે તે પહેલા જ કોઈએ તેને તેના મોઢા ઉપર કપડું ફેંકી દીધું હતું અને મોઢાથી કપડું ઢાંકી દીધું હતું. મોઢું પણ દબાવી દીધું હતું. જેના કારણે તેઓ અવાજ કરી શક્યા ન હતા અને તેણે કાનમાં પહેરેલા સોનાની કડીઓ અને સોનાની પોખાની લુંટેરાઓએ કાન ફાડીને કાઢી લીધી હતી.
હાથમાં પહેરવાના કડા પણ તેમણે માજીના હાથમાંથી કાઢી લીધા હતા. ત્યારબાદ લુટેરાઓ ભાગી ગયા હતા. થોડા સમય સુધી દાદીના મોંમાંથી અવાજ નીકળ્યો ન હતો અને મોં પર કપડું હોવાને કારણે તેનો ચહેરો પણ તેઓ જોઈ શક્યા ન હતા. લુટેરાઓ તેના બંને કાનમાં પહેરેલા સોનાના દાગીના અને હાથના દાગીના લઈને તેઓ ભાગી ગયા હતા.
જેના કારણે ત્યારબાદ કાનમાં પહેરેલા સોનાની પોખાનીઓ કાઢવા તેને કાન ફાડી નાખ્યા હતા. જેના કારણે કાન માંથી લોહી વહેવા લાગ્યું હતું. વૃદ્ધ મહિલાના કાનમાંથી લોહી વહેતું રહ્યું હતું અનેદાદી ખૂબ જ ગભરાઈ હતી ત્યારબાદ તેણે પાડોશીના લોકોને આ ઘટનાની જાણ કરતી હતી તેના ઘરે અડધી રાતે લુટેરાઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
જેના કારણે ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમના દીકરાઓને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી ગામના લોકોએ તરત જ બિલાડા પોલીસ અધિકારીને પણ આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા સમયે પોલીસને દાદીના ખાટલા પાસેથી કાળા રંગના છાપા મળી આવ્યા હતા.
જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી એક એકલી રહેતી દાદી સાથે આવી ઘટના બની જતા સૌ કોઈ લોકોના કાળજા ધ્રુજવા લાગ્યા હતા અને દરેક લોકો પોતાના ઘરે એકલા રહેવાથી પણ ડરી રહ્યા હતા. આ ઘટના ને લઈને ચારે કોર અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]