માતા પિતા વગરના બાળકોને જીવન ખૂબ જ મુશ્કેલમય બની જતું હોય છે, કારણ કે ડગલેને પગલે તેમના માતા-પિતાને ખૂબ જ યાદ આવે છે. જો મા બાપનો સાથ સહકાર હોય તો બાળકોનું ઉછેર પણ ખૂબ જ સારો થાય છે અને તેમનામાં સારા સંસ્કારોનું વાવેતર પણ મા-બાપ કરે છે, પરંતુ અમુક બાળકોને નાની ઉંમરથી જ માતા પિતાનો સહારો માથા ઉપરથી ચાલ્યો જતો હોય છે..
તેવા બાળકો માટે જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જતું હોય છે. અત્યારે એક નાનકડી ઉંમરની દીકરીના માતા પિતાનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ હતું. ત્યારબાદ તે આ દીકરી તેના ફઈના ઘરે રહીને મોટી થઈ હતી, આ દીકરીને તેના ફઈ ખૂબ જ સાચવતા હતા..
દીકરીના માતા-પિતાનું અવસાન થઈ જવાને કારણે હવે તેના ફઈ જ તેની બીજી માતા બનીને તેને સાથ સહકાર અને સારા સંસ્કારો પણ શીખવતા હતા. પરંતુ આ દીકરીના સગા ફુવાએ તેની સાથે એવું કામ કરી નાખ્યું હતું કે, તેને જાણ્યા બાદ તમારું પણ લોહી ઉકળવા લાગશે, આ મામલો વિશરામપુર વિસ્તારનો છે..
અહીં રહેતા હિતેશભાઈની દીકરી ક્રિષ્ના જ્યારે ચાર વર્ષની હતી, ત્યારે હિતેશભાઈ તેમજ તેમની પત્ની ગીતાંજલિ બેન ક્રિષ્નાને સાથે લઈને મંદિરે જઈ રહ્યા હતા. એ વખતે હિતેશભાઈ તેમજ ગીતાંજલીબેન નું એક ડમ્પર ચાલકની અડફેટે લઈ લેવાને કારણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે ક્રિષ્નાનો આબાદ રીતે બચાવ થયો હતો..
માતા-પિતા વગરની આ દીકરીને સાચવવા માટે હિતેશભાઈની બહેન ધર્મિષ્ઠા આગળ આવી અને તેણે કહ્યું કે હું આ દીકરીને તમામ જવાબદારી ઉઠાવી લઈશ અને તેને ભણાવી ગણાવીને મોટી કર્યા બાદ તેને સાસરીયે પણ વળાવવી આપીશ, ત્યારે આ દીકરી ક્રિષ્ના 18 વર્ષની થઈ ત્યારે એક દિવસ જ્યારે ધર્મિષ્ઠાબેન ઘરે હાજર હતા નહીં..
ત્યારે ક્રિષ્નાના સગા ફુવાએ ક્રિષ્નાને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે, જો તું મારી સાથે રંગરેલીયા નહીં મનાવે તો હું તને જાનથી મારી નાખીશ અને આ ઘરમાંથી કાઢી મુકીશ. બિચારી મા બાપ વગરની દીકરી આ ઘર મૂકીને ક્યાં જશે તેમ વિચારીને તે ખૂબ જ મુંજવણમાં મુકાઈ ગઈ હતી..
તો બીજી બાજુ આ ફૂવા તરત જ તેની પાસે આવ્યો અને તેની સાથે ન કરવાના કારનામાઓ કરવા લાગ્યો હતો, નતનવીન અડપલાઓ કર્યા બાદ ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું, બિચારી આ બાળકી રડવા લાગી હતી. જ્યારે તેના ફઈ ધર્મિષ્ઠાબેન ઘરે પરત આવ્યા ત્યારે તેણે તેના મોઢેથી આ તમામ વાતો જણાવી હતી..
શરૂઆતમાં તો ધર્મિષ્ઠાબેનને પણ વિશ્વાસ આવ્યો નહીં, પરંતુ જ્યારે અન્ય તપાસ ચલાવે ત્યારે ખબર પડી કે હકીકતમાં આ બાળકી સાથે ખૂબ જ ખોટું કામ થયું છે. તરત જ ધર્મિષ્ઠા બેને ક્રિષ્નાને સાથે લઈને પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં ધર્મિષ્ઠાબેન ને પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાતા જણાવી દીધું હતું કે, બિચારી આ બાળકીનું ભવિષ્ય આ નરાધમ વ્યક્તિએ બગાડી નાખ્યું છે..
આ નરાધમ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ, ત્યારે ત્યાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના પણ લોહી ઉકળવા લાગ્યા હતા, અને તેઓ વિચારમાં મજબૂર બની ગયા કે આ વ્યક્તિને એવું તો શું થયું કે આ નરાધમ વ્યક્તિના મગજમાં આવી ગેર વિચારધારા ભરાઈ ગઈ અને બિચારી આ બાળકી સાથે તેણે ખરાબ કામ કરી નાખ્યું હતું..
હિતેશભાઈના મોટાભાઈ તેમજ હિતેશભાઈ ના પિતા સુધી પણ જ્યારે આ વાત પહોંચી ત્યારે તેઓ તેમની દીકરી ક્રિષ્નાને પોતાને ઘેર પરત લાવવા માટે વાતચીત ચલાવવા લાગ્યા હતા, જ્યારે હિતેશભાઈ તેમજ ગીતાંજલીબેનનું મૃત્યુ થયું ત્યારે પરિવારના કોઈ પણ સભ્ય ક્રિષ્નાની સંભાળ રાખવા માટે આગળ આવ્યા નહીં અને હવે જ્યારે આ દીકરી મૂંઝવણમાં મુકાય ત્યારે સૌ કોઈ લોકો તેની મદદ એ દોડવા લાગ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]