ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે અવારનવાર ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરતા બુટલેગરો અને દારૂનો જથ્થો પકડાય આવે છે. દારૂની હેરફેર ખૂબ જ જોખમ ભર્યું કામ હોવાને કારણે બુટલેગરો અલગ અલગ રીતે યુક્તિ લગાવીને દારૂની હેરફેર કરતા હોય છે. તેમની આ યુક્તિઓ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ જતી હોય છે.
આવા જ એક અજીબો ગરીબ રીતે દારૂનો સપ્લાય કરતા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કિસ્સો ઝારખંડમાં સામે આવ્યો છે. ઝારખંડ રાજ્યના ગોડા જિલ્લામાં આવેલા પથરગામા પોલીસ ને જાણકારી મળી હતી કે ગેરકાયદેસર દારૂના જથ્થાને ઝારખંડ થી બિહાર તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
બિહારમાં દારૂબંધી હોવાને કારણે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. દારૂના આ ગેરકાયદેસર જથ્થાને પકડવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી હતી. તે દરમિયાન પોલીસે એક એમ્બેસીડર કારની અટકાયત કરીને તેની તલાસી લીધી હતી. પરંતુ તેમને કંઈ પણ હાથ લાગ્યું ન હતું.
આઈ એમ્બેસીડર કારની તલાસી લઈને જ્યારે પોલીસ પરત ફરવા જઈ રહી હતી. ત્યારે અચાનક જ એક પોલીસકર્મીની નજર કારની હેડલાઇટ પર પડી હતી. જેણે કારણે કારચાલકને કાર માંથી નીચે ઉતરી ને હેડલાઈટ ખોલવાનું શરુ કર્યું હતું. જ્યારે હેડલાઇટ ખોલી ને બહાર કાઢવામાં આવી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તમામ પોલીસકર્મીઓ પણ બે ઘડી માટે ચોંકી ગયા હતા.
હેડ લાઇટ ના પાછળના ભાગમાં દારૂની બોટલો ગોઠવવામાં આવી હતી. હેડ લાઇટ ના પાછળના ભાગમાં 80 જેટલી બોટલો સંતાડવામાં આવી હતી. પોલીસે તરત જ દારૂની તમામ બોટલો અને એમ્બેસીડર કાર જપ્ત કરી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે તેનું નામ રુદલ યાદવ છે અને તે બિહારના મુખેપુરાનો મૂળ રહેવાસી છે.
ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂબંધી હોવાને કારણે બુટલેગરો અવારનવાર ઝારખંડમાંથી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે બિહારમાં પહોંચાડતા હોવાનું અગાઉ પણ સામે આવ્યું છે. રુદલ યાદ આવે પૂછપરછ દરમિયાન કબુલાત કરી છે કે તેણે અગાઉ પણ ઘણીવાર એરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઝારખંડ થી બિહાર સપ્લાય કર્યો છે પોલીસે તેના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે.આ ઉપરાંત હવે આવી ઘટના ન બને તે માટે વધુ સાવચેત થઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]