અત્યારે વધું એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંતે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો. નાની શેરી વિસ્તારમાં લતાબેન નામની મહિલા તેમના પરિવારજનોની સાથે રહેતી હતી. તેમના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા થયા હતા. અને લગ્ન જીવન દરમિયાન તેમને એક દીકરાનો પણ જન્મ થયો હતો..
પરંતુ લગ્ન જીવન જેમ આગળ વધતું ગયું તેમ-તેમ લતાબેન અને તેમના પતિ શૈલેષભાઈ બંને વચ્ચે વાત વિવાદ વધતો ગયો હતો અને આ ઝઘડાનો અંત અંતે છૂટાછેડાથી આવ્યો હતો. છૂટાછેડા બાદ લતાબેન નાની શેરી વિસ્તારમાં જ રહેવા લાગ્યા હતા. જ્યારે તેમનો દીકરો લતાબેનના પતિ સાથે રહેતો હતો..
તેઓ એકલવાયુ જીવન જીવતા અને અડોશ પડોશમાં સૌ કોઈ વ્યક્તિ સાથે પરિવારની જેમ જ રહેતા હતા. આખો દિવસ આસપાસના પડોશની મહિલાઓ તેમજ મિત્રોની સાથે વીતી જતો હતો. પરંતુ રાત્રીના સમય જ્યારે તેઓ ઘરે સુવા માટે જતા. ત્યારે રૂમનો દરવાજો બંધ કરતાની સાથે જ એવો વિચિત્ર અવાજ આવવા લાગતો હતો કે, જેને સાંભળીને લતાબેન ખૂબ જ ડરી જતા હતા.
જ્યારે જ્યારે તેઓને ડરનો માહોલ અનુભવાય ત્યારે તેઓ પડોશના વ્યક્તિને પોતાના ઘરે બોલાવતા અને આ વાત ક્યાંથી આવે છે. તેને શોધવાની કોશિશ કરી હતી. શરૂઆતના બે મહિનાથી તેઓને લાગ્યું કે, તેઓ એકલવાયુ જીવન જીવી રહ્યા છે. એટલા માટે તેમને ડર લાગી રહ્યો છે..
પરંતુ આ વિચિત્ર અવાજથી આસપાસના પડોશીઓ પણ ડરી ગયો હતા. અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે આ વાતથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેમજ આ આવાજ ક્યાંથી આવે છે. જો ઘરમાં વધારે પડતા અવાજ આવે તો આ વીચિત્ર અવાજ બંધ થઈ જતો હતો. આ ઉપરાંત ઘરમાં જ્યારે અંધારું થઈ ત્યારે જ આ અવાજ નીકળતો હતો.
આ તમામ બાબતોને નજર અંદાજ કરીને રતાબેન ફરી પાછું રોજિંદુ જીવન જીવવા લાગ્યા હતા. છ મહિના સુધી આ ઘટનાનો સિલસિલો એકદમ યથાવત રહ્યો પરંતુ એક દિવસ અવાજ ખૂબ જ વધારે જોરમાં આવવા લાગ્યો હતો. એટલા માટે તેઓ ફરી એક વખત પડોશીઓને પોતાના ઘરે બોલાવી અને તપાસ કરવાની સાથે જણાવ્યું કે, આ વિચિત્ર હોય તેમના ઘરની સીલીંગમાંથી આવી રહ્યો છે..
જ્યારે સીલીંગ તોડીને જોવાની કોશિશ કરી ત્યારે એવી ચીજ વસ્તુઓ મળી કે સૌ કોઈ લોકોને મોઢું છુપાવીને ભાગવું પડ્યું હતું. જેમના પડોશમાં રહેતા વ્યક્તિ સીલીંગ તોડવા માટે ટેબલ ઉપર ચડ્યા હતા અને તેઓ ધારદાર સાધન વડે સીલિંગ ઉપર ઉપરા છપરી ઘા મારીને તેને તોડી રહ્યા હતા..
જ્યારે સીલીંગ તોડતાની સાથે જે ગાબડા નીચે આવી પડ્યો અને સીલીંગની અંદર હજારોની સંખ્યામાં મધમાખીના જુમખા મળી આવ્યા હતા. અને આ વિચિત્ર અવાજ મધમાખીના ફળફળાટનો આવતો હતો. વારંવાર ગુણગુણનો આ અવાજ આવતા લતાબેનને ડર લાગતો હતો…
પરંતુ અવાજ બીજી કોઈ ચીજ વસ્તુઓનો નહીં, પરંતુ મધમાખીનો આવતો હતો. જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે આસપાસના વ્યક્તિઓ વિચારમાં મુકાઈ ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, આખરે આ મધમાખી તેમના ઘરની અંદર કેવી રીતે ઘુસી હશે, આ ઉપરાંત એક સાથે આટલી બધી વાર સીલીંગની અંદર શું કરતી હશે.
તેમના ઘરની છત ઉપર ગાબડું પડી ગયું હતું. ત્યાંથી મધમાખીઓ અંદર ઘુસી અને અંદર મધ પણ મૂકી દીધું હતું. મોટાભાગે મધમાખી વૃક્ષ અથવા તો એવી ખુલ્લી જગ્યા ઉપર મધ મૂકે છે કે, જ્યાં સુરક્ષા જળવાઈ રહે.. પરંતુ અહીં સીલીંગની અંદર મધમા ઘૂસી ગઈ હતી અને ત્યાં મધ મૂકી દીધું હતું.
જ્યારે રાત્રે અંધારું થઈ જાય ત્યારે માહોલ એકદમ શાંત થઈ જતો હોય અને તેમના ગુણ ગુણનો અવાજ બહાર આવતો હતો. આ વિચિત્ર ઘટના જ્યારે સામે આવી ત્યારે સોસાયટીના સૌ કોઈ રહીશો લતાબેનના ઘર પાસે એકઠા થઈ ગયા હતા. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]