અમુક વખત આપણી નજર સામે જ ક્યારે સમજ ન પડે અથવા તો વિચારમાં મૂકી દે તેવી ઘટના બનતી હોય છે. પરંતુ આપણે તેને નજર અંદાજ કરીએ છીએ અને જ્યારે એ ઘટનાનો ખુલાસો થાય ત્યારે આપણા પણ રુવાટા એકાએક બેઠા થઈ જાય તેવી ચોકાવનારી માહિતી સામે આવતી હોય છે..
કઈક આ પ્રકારનો જ એક ખુલાસો એક દુકાનદાર સાથે થયો છે. સુરેશભાઈ નામના એક દુકાનદાર કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમના દુકાનની સામેના રોડ ઉપર છેલ્લા કેટલાક દિવસથી લોકો સુવા માટે આવી જતા હતા. જે લોકોને પોતાના ઘર નથી અને રખડતું જીવન જીવે છે. તેઓ તેમના દુકાનની સામેની બાજુએ સુતા હતા..
પરંતુ આ વખતે તેઓને કંઈક નવીન લાગ્યું હતું. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી બે યુવકો ધાબળો ઓઢીને તેમના દુકાનની સામે સુતા હતા. અને ત્રણ દિવસ વીતી ગયા છતાં પણ તેઓ જાગ્યા ન હતા. એટલા માટે તેઓને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું હતું કે, આ તો કેવી ઊંઘમાં સુતા હશે કે તેઓ ત્રણ દિવસ સુધી જાગ્યા નથી..
કારણ કે આટલી બધી ઊંઘ કોઈપણ વ્યક્તિને ન હોઈ શકે એક ક્ષણ માટે તેઓએ વિચાર્યું કે, કદાચ આ બંને યુવકો દારૂના ઘનઘોર નશામાં સૂતા હશે. એટલા માટે તેઓને દિવસ રાતનું ભાન આવ્યું નહીં હોય, ત્યાંથી કેટલા બધા વાહન પણ પસાર થતા હતા અને ખૂબ જ ઘોંઘાટ પણ થતો હતો છતાં પણ આ બંને યુવકો માંથી કોઈ પણ યુવક ત્રણ દિવસ સુધી પડખું પણ ફર્યા હતા નહીં..
આ બાબત તેઓને ખૂબ જ ચોકાવનારી લાગી એટલા માટે તેઓએ આ ઘટનાની જાણકારી આસપાસના દુકાનદારોને આપી હતી કે, આ બંને યુવકો છેલ્લા ત્રણ દિવસથી અહીં સુતા છે. પરંતુ બંનેમાંથી કોઈ પણ યુવક જાગ્યા નથી. ત્યારે તેઓએ પાંચ થી છ વ્યક્તિ ભેગા મળીને ત્યાં જઈને ધાબળો ઊંચો કરીને જોવાની કોશિશ કરી હતી અને તેઓ વિચાર્યું કે, આ યુવકોને જગાડીને અહીંથી રવાના કરી દેવા જોઈએ..
એટલા માટે તેઓ આ બંને યુવકોની નજીક ગયા હતા અને જ્યારે તેમનો ધાબળો ઊંચો કર્યો ત્યારે જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને મોઢે હાથ દઈને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. કારણ કે ધાબળો ઉંચો કરતાની સાથે જ એકાએક દુર્ગંધ આવવા લાગી હતી અને આ દુર્ગંધ બીજે ક્યાંયથી નહીં પરંતુ આ બંને યુવકોના મૃત્યુ થઈ ગયા હતા અને તેની લાસશ સડવા લાગી હતી તેની દુર્ગંધ હતી.
હચમચાવી દેતો આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે શું કરવું અને શું ન કરવું તે વિચારવા લાગ્યા હતા. ત્યારબાદ એક જાગૃત નાગરીકે તરત જ પોલીસને ફોન કરીને અહીં બોલાવી લીધી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આ બંને યુવકોની લાશને તપાસ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી છે..
આ ઉપરાંત આસપાસના કેટલાક વ્યક્તિઓના નિવેદનોને પણ નોંધવામાં આવ્યા છે. આ બંને યુવકો અવારનવાર સુરેશભાઈની દુકાન સામે સુવા માટે આવી જતા હતા. પરંતુ ત્રણ દિવસ સુધી ન જાગતા તેઓ જ્યારે તપાસ કરી ત્યારે આ બંને વ્યક્તિ મૃત દેખાયા હતા. આ બંને વ્યક્તિના મૃત્યુ કેવી રીતે થયા છે..
તેમજ આ બંને વ્યક્તિને કોણે મોતને ઘાટ ઉતારીને અહીં સુવડાવી દીધા છે. તેની કોઈ પણ માહિતી હજુ સુધી મળી આવી નથી. પરંતુ અત્યારે પોલીસ પ્રાથમિક તપાસ ચલાવી રહી છે. અને સીસીટીવી કેમેરા ની મદદથી આરોપીઓની ભાળ પણ મેળવી રહી છે. આ ઘટના ખુબ જ ચોંકાવનારી સાબિત થઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]