Breaking News

એકના એક દીકરાની સારવાર માટે સરકારી હોસ્પીટલે પહોચેલી મહિલા ડોક્ટરની રાહ જોતી રહી, 3 કલાક બાદ ડોક્ટર આવ્યો ત્યાં તો…. જાણો..!

ડોક્ટરને સૌ કોઈ લોકો ભગવાન માને છે. કારણ કે અમુક એવા ભયંકર રોગો વ્યક્તિને થાય છે કે, જે માત્ર ડોક્ટરો જ સરખું કરી જીવ બચાવી શકે છે. પરંતુ છેલ્લા છ મહિનાની અંદર અંદર ડોક્ટરની બેદરકારીના બનાવો પણ ઘણા બધા સામે આવી ચૂક્યા છે. હાલ વધુ એક બેદરકારીનો બનાવ મધ્યપ્રદેશના જબલપુરની સરકારી હોસ્પિટલથી સામે આવ્યો છે..

જ્યાં ડોક્ટરની બેદરકારીને કારણે માત્ર પાંચ વર્ષના એક બાળકનો જીવ પણ જતો રહ્યો છે. બરગીના વિસ્તારમાં રહેતી એક મહિલા તેના પાંચ વર્ષના માસુમ બાળકને સારવાર અપાવવા માટે સરકારી હોસ્પિટલે સવારના સમયે જ આવી પહોંચી હતી. જ્યાં હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે, ડોક્ટર સાહેબ 10:30 વાગ્યા આસપાસના સમયે હોસ્પિટલે આવે છે..

ત્યારબાદ જ તમારા દીકરાની સારવાર થશે. પરંતુ બપોરના 12 વાગ્યા છતાં પણ ડોક્ટર હોસ્પિટલે હાજર થયા નહીં, આ ઉપરાંત તેઓએ સરકારી હોસ્પિટલમાં રજા માટે પણ કોઈ પત્ર આપ્યો હતો નહીં. અને અચાનક એટલું બધું મોડું કરી દેતા પાંચ વર્ષનો આ બાળક ખૂબ જ પીડાઈ રહ્યો હતો..

અને તેના માતાના ખોળામાં સૂતો સૂતો જીવ ગુમાવી દીધો હતો. જ્યારે એક વાગ્યે આસપાસ ડોક્ટર હોસ્પિટલે હાજર થયા ત્યાં તો પાંચ વર્ષના લાડકા દીકરાએ તેના માતાના ખોળામાં જ જીવ ગુમાવી દીધો હતો. એક બાજુ માતા જોર જોરથી રડી રહી હતી. તો બીજી બાજુ આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા અને શું થયું છે, તે જાણવા લાગ્યા હતા..

ડોક્ટર પોતાની આંખે આ તમામ દ્રશ્યો જોતા હતા. તેની જ બેદરકારીને કારણે આ બાળકનો જીવ ગયો છે. તેવું સૌ કોઈ લોકોનું કહેવું છે. આ ઉપરાંત મહિલાના પરિવારજનો પણ ત્યાં હાજર થયા અને ડોક્ટર વિરોધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં લોકોને સારવાર આપવાને બદલે તેઓએ ખૂબ જ મોડું કરી દીધું હતું..

અને અંતે આ બાળકનો જીવ ગયો છે. તો બીજી બાજુ ડોક્ટર આ તમામ જવાબદારીઓથી દૂર ભાગીને સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. હાલ આ બનાવને લઈને ભારે તંગદિલીનો માહોલ સર્જાઈ ગયો હતો. મહિલાનો એકનો એક પાંચ વર્ષનો દીકરો મોડી સારવાર અને મોટી બેદરકારીને કારણે મૃત્યુ પામ્યો છે.

આ બાળકનું નામ ઋષિ હોવાનું સામે આવ્યું છે. આ કોઈપણ પરિવારજનો માટે સહન કરવું સહેલું નથી, જે વ્યક્તિના જીવ બચાવવા માટે આમથી આમ હડીયા પારટી કરવામાં આવતી હોય અને તે જ વ્યક્તિ તેની જ મા ના ખોળામાં સૂતો સૂતો જીવ ગુમાવી દે આનાથી મોટું દુઃખ કોઈ પણ ન હોઈ શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *