આજકાલ લોકો પોતાના જીવનથી કંટાળીને અને મુશ્કેલીઓથી ગભરાઈને આત્મહત્યા કરી લેતા હોય છે. આવો જ એક આઘાતજનક અને સૌ કોઈ ના રૂવાડા ઉભા કરી દેવો આત્મહત્યાનો બનાવો સામે આવ્યો છે. રાજસ્થાન રાજ્યમાં જયપુર શહેર પાસે દુદુ ગામમાં એક નહીં પણ એક સાથે 5 લોકોએ કુવામાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
થોડા વર્ષો પહેલા એક જ પરિવારની ત્રણ સગી બહેનોના લગ્ન જયપુર નજીક આવેલા દુદુ ગામના એક જ પરિવારના ત્રણ યુવાનો સાથે કરવામાં આવ્યા હતા. તેઓ પરિવાર સાથે હળી-મળીને ખુશીથી રહેતા હતા. ત્રણ બહેનોમાં ની સૌથી મોટી બહેન કલાદેવીને 4 વર્ષનો દીકરો હતો. જેનું નામ હર્ષિત હતું.
આ ઉપરાંત મમતા મીણાંને 20 દિવસ પહેલા જ એક છોકરો હતો. તેમજ સૌથી નાની બહેન કમલેશ મીણાં ને પ્રેગ્નન્સીનો 9મો મહિનો ચાલી રહ્યો હતો. થોડા દિવસો પહેલા ત્રણે બહેનો પોતાના બાળકો સાથે ગાયબ થઈ ગઈ હતી. તેઓ બજારમાં જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ ઘરે પરત ફર્યા ન હતા.
સાંજ થઈ જતા તેઓ પરત ન ફરતા પરિવારજનો એ આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ શરૂ કરી હતી. એક જ પરિવારના 5 લોકો એક સાથે ગુમ થઈ જતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોના શોધવા છતાં તેમની કોઈ જાણ ન મળતા તેમણે બીજા દિવસે સવારે જયપુર પોલીસ સ્ટેશનમાં 5 વ્યક્તિની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જયપુર શહેર અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. તેમજ આખા શહેરમાં ગુમ થયેલ વ્યક્તિઓના ફોટાની વહેચણી પણ કરી હતી. આ દરમિયાન દૂદુ ગામ થી 2 કિલોમીટર દૂર આવેલા નરેના રોડ પર એક કુવામાં લાશ કરતી હોવાની પોલીસને જાણ મળી હતી. તેઓએ કુવા પાસે પહોંચીને તેમાંથી લાશ બહાર કાઢી હતી.
પોલીસ દ્વારા આ કેસને આપઘાત તરીકે જણાવવામાં આવી રહ્યો છે. પોલીસના કહેવા મુજબ આ ત્રણે બહેનોએ પોતાના રોજિંદા જીવનથી કંટાળીને કોઈ અન્ય કારણોસર આપઘાત કર્યો હશે પોલીસ દ્વારા તેમના પરિવારજનો અને ગામના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે જેથી આપઘાતનું યોગ્ય કારણ જાણી શકાય.
પોલીસે પરિવારની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે કે આ ત્રણે મહિલાઓના પતિ ખેતી કામ અને JCB ચલાવવાનું કાર્ય કરે છે. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન પોલીસને આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. જેથી પોલીસ તંત્ર દ્વારા આત્મહત્યાનું સાચું કારણ જાણવા માટે ના પ્રયાસો કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]